લવ-કુશ જન્મ
ગીત ૨ II જાનકીના ગર્ભમાં અંકુર સફૂરાય II
ગીત ૭ || મિલન વિના નહીં ચેન ||
ગીત ૮ || લવ-કુશ નામકરણ ||
સારાંશ
આ પ્રકરણ અયોધ્યામાં શરૂ થાય છે જ્યારે સીતા પોતે ગર્ભવતી થાય છે. તે ભગવાન રામને આ શુભ સમાચાર કહેવા માંગે છે, પરંતુ ભાગ્યના એક વિચિત્ર વળાંકમાં, તેણીને અન્યાયી રીતે વનમાં દેશનિકાલ કરવામાં આવે છે, અને આ (શુભ સમાચાર કહેવા) શક્ય નથી.
ઋષિ વાલ્મીકિના આશ્રમમાં આશ્રય મેળવતા, તેનું હૃદય રામ માટે દુ:ખી થાય છે, અને તે તેના અજાત બાળકો, રઘુ કુળના ભાવિ વંશજો માટે ચિંતા વ્યક્ત કરે છે.
એક શુભ દિવસે, સીતા જોડિયા પુત્રોને જન્મ આપે છે. મિત્રો આનંદ કરે છે, અને સહજ રીતે તેમના પ્રારંભિક રડવાનું અર્થઘટન નશ્વર જન્મ પર દુઃખ વ્યક્ત કરવા તરીકે કરે છે, પરંતુ જ્યારે સીતા તેમને સ્તનપાન કરાવે છે ત્યારે બાળકોને દિલાસો મળે છે, તેમની માતાના દૈવી સંબંધને ઓળખે છે.
દુઃખદ રીતે, સીતાને આશા છે કે રામ તેમના જન્મ વિશે સાંભળશે - પરંતુ તે આવતા નથી.
બંને ભાઈઓના નામકરણ વખતે એક રહસ્યમય આકૃતિ પ્રગટ થાય છે. બે ભાઈઓ માંથી એક ને તે પોતાના ખોળામાં લે છે, જ્યારે સીતા બીજાને પોતાના ખોળામાં મૂકે છે. ઋષિ વાલ્મીકિ એમના નામ લવ અને કુશ રાખે છે. માતૃત્વને ગળે લગાડીને સીતા પોષણ ના શારીરિક અને આધ્યાત્મિક ભાગ પર વિચાર કરે છે, અને પોતાના હાલરડાઓમાં તે પોરવે છે .
જોડ પદ્યાંશ
પિતાતુલ્ય મુનિવરનું વાત્સલ્ય મળે ।
સહુ સખીઓનો સ્નેહ મળે ।।
સીતા મનમાં ધીરજ રાખે ।।
અજન્મા શિશુને સારૂ બતાવે ॥ ૧ ॥
શિશુ કરે હલચલ ગર્ભ માં
યાદ ઉભરાઇ સીતાના મનમાં ।
યાદ અયોધ્યાની ઉભરી આવી ।
જ્યારે થયો પ્રેમાંકુર હતો ।। ૨ ।।
ગીત ૧ || પ્રેમાંકુરની પહેલી જાણ ||
શ્રી સીતા માતા ઉવાચ :
પ્રેમાંકુરની પહેલી સમજ
મેં ત્યારેજ જાણી
કોણ જાણે કયા કારણે
આમલી ચોરવાનું મનમા આણી ।। ટેક ।।
ભવ્ય મહેલ અને સુંદર ઉપવન
હતા ચો તરફ આનંદી જન ।
પણ ગમે એકાન્ત મનમાં ।
ક્યાંય ન લાગે મારૂં યે મન ॥ ૧ ॥
મારું મન સંકોચાયું ।
પણ કોઇને ના જણાવ્યું ।
કોને જણાવુ, કોને કહું ।
સમસ્યા આ કેમ ઉકેલાઉ ।। ૨ ।।
થયુ આ પંખીને બતાવું
સાથી મારો એને બનાવું ।
પણ સહુને કહે ના એ અજ્ઞાની ।
પ્રભુ સ્મરણમાં હતી ખોવાઇ ।। ૩ ।।
ગીત ૨ II જાનકીના ગર્ભમાં અંકુર સફૂરાય II
શ્રી સીતા માતા ઉવાચ :
જાનકીના ગર્ભમાં અંકુર સફૂરાય II ધૃ II
વૃક્ષો વેલાઓ થયા ભગિની
તેનો સાથ આપતા નિરઝર તટો
આનંદમાં ઉડતા પક્ષીઓ II ૧ II
રવિ ચંદ્ર ખુબ પ્રેમ વર્ષાવે
નવગ્રહો શુભ સ્થાને શોભે
પણ મારા પ્રભુવર કેમ આટલા દૂર II ૨ II
જોડ પદ્યાંશ
કોઈ એકનાજ સંશય થી,
આવ્યો વનવાસ ફરી જીવનમાં I
ગર્ભે હતી તે રઘુવંશ કુલ-દીપ થી
તો પણ હતો અનામિક ભય સિયાના મનમાં II
ગીત ૩ || ખોળો મારો રક્ષો ||
શ્રી સીતા માતા ઉવાચ :
ખોળો મારો રાખો ઓ
ખોળો મારો રક્ષો ઓ
રઘુકુળનો દીપ તે
પ્રભુ રામજ આ જાણે II ૧ II
શું કરી મેં ભૂલ
કે પ્રારબ્ધની આ દેણ
મારા મનનું આ સત્ય
કાળદેવતાજ આ જાણે II ૨ II
ખોળો મારો રાખો ઓ
ખોળો મારો રક્ષો ઓ..
ગીત ૪ || કેમ ના યાદ આવ્યું પ્રભુ ||
શ્રી સીતા માતા ઉવાચ :
કેમ ના યાદ આવ્યું પ્રભુ
વચન જે મેં તમને આપ્યું
આવીશ તમારી સાથે વનમાં હું
બોલ્યા હતા ફરી ફરી II ૧ II
એવું શું અચાનક ઘડાયું
કે અપ્રિય નિર્ણય એવો લેવાયો
ગર્ભમાં રઘુકુળ દીપક હોવા છતાં
એખલીજ મને વનમાં મોકલાવી II ૨ II
કોઈનું હૃદય કેમ ના પીઘળયુ
લક્ષ્મણ દિયેર પણ ભૂલ્યા
પુત્ર સમ હનુમંત પ્રતાપી
કોઈપણ મને બચાવવા નહિ દોડ્યું II ૩ II
રોજ નિરંતર દુઃખ સહન કરતી
જીવું છું આ યાદ ફરી કરતી
રઘુકુળ દીપક ચમકતા રાખીને
સર્વને કહીશ આ સત્ય ફરીથી II ૪ II
જોડ પદ્યાંશ
પળ જેમ આવી સુખી સોહામણી ।
જોડિયા બાળ જનમ્યા સીતારાણી ।
વાલ્મિકી શિશુ દર્શને આવ્યા ।
ઋષિએ લવ-કુશ નામ સુઝાવ્યા ।। ૧ ।।
ઋષિકુલથી ત્યારે આવી બધાઇ ।
મૃગ - વનરાઈ ઉભરાઇ ।।
સર્વ સખીઓના મનમાં પ્રીતી મચાઇ ।
નૃત્ય ગાન ઉત્સવથી ઘડી ભરી ગઇ ।। ૨ ।।
ગીત ૫ || સીતા માતા વાત્સલ્ય સંપન્ન ||
સખી ઉવાચ :
સીતા બની જનની, ઓ બહેના...
સીતા બની જનની
રામ સ્મરણ કરે દિન રાત માતા, ઓ બહેના...
લવ - કુશ પર પ્રીત વરસાવે,
રામના વિરહમાં હતી માતા,
ઓ બહેના સીતા બની જનની ।।
ગીત ૬ || સોણલું ||
સખી ઉવાચ :
આવ્યા રે, આવ્યા રે ડડડ
આવ્યા રે, આવ્યા રે ડડડ
સીતા રામના જોડકા શીશુ ।। ટેક ||
જનમતાં જ ભ્રાતા રડે વિરહથી
અમે વિખુટા કેમ બ્રહ્મથી ।
સ્તનપાન કરતા થયો દૂર અજ્ઞાન ।। ૧ ।।
આવ્યા રે, આવ્યા રે, આવ્યા રે ડડડ
કમળ જેવા પ્યારા નયનોથી
વિસ્મીત જુએ તે વનરાજી
અને નાચતા મોર ત્રિકાળ ।। ૨ ।।
આવ્યા રે, આવ્યા રે, આવ્યા રે ડડડ
હિમ ધવલ ધરી કાયા
યોગ ભાવ માં જનમ પાયા
પંખી ગાતા ડાળી ડાળી ।। ૩ ।।
આવ્યા રે, આવ્યા રે, આવ્યા રે ડડડ
ધરમ-કરમના રક્ષક ભૈયા
આદિ શક્તિ છે એમની મૈયા
રહજો નિત ખુશાલ ।। ૪ ||
આવ્યા રે, આવ્યા રે, આવ્યા રે ડડડ
જોડ પદ્યાંશ
પુત્રોને નીહાળી પરમ પુનિતા
રામ સ્મૃતિમાં ડૂબી માઁ સીતા
ઉંડી વ્યથા ઉભરી ને નયનો ભીંજાયા
માતાની હાય સુને સૌ સખીયા ।।
જે દિને લવ-કુશ વનમાં જનમ્યા
સાથે આશા જન્મી સીતાના મનમાં
પિતા થયા એ સંદેશ મળશે
પ્રભુ આશ્રમ ભણી તુરત આવશે ।।
ગીત ૭ || મિલન વિના નહીં ચેન ||
શ્રી સીતા માતા ઉવાચ :
રામની આશ લાગી
રાત વીતી ગઇ સહેલી ।। ટેક ।।
પિતા થયા સંદેશ એ સાંભળી
પ્રભુનો રથ આવ્યો હશે ।
કુટીમાંથી જરાક જોશે તો પ્રભુના પરોઢે દર્શન મળશે ।। ૧ ।।
થાક્યા હશે રામ મારા
તું હવે વિલંબ ના કર ।
શીતલ કરવા પ્રભુના ચરણ જળ,
ગુલાબ લઇ જા સત્વર ।। ૨ ।।
લાવ્યો હશે કુશ-લવ માટે
વસ્ત્રોના ભંડાર
દિવ્યા શિશુઓને શોભિત કરવા ।
નાનાવિધ અંલકાર ॥3 ॥
રામ-રામ સ્મરણ કરતાં
દુખવા લાગે નૈન
ભ્રમ થયો કે આવ્યા રઘુવર
મિલન વગર નહી ચૈન ||4||
ગીત ૮ || લવ કુશ નામકરણ ||
શ્રી સીતા માતા ઉવાચ :
આનંદથી ખીલી ઉઠી હું II ધૃ II
ઋષિ વાલ્મિકી
બોલ્યા મારી સાથે
આ જોડિયા શિશુનું નામકરણ તો
કરશે સિદ્ધ મુનિ II ૧ II
આવ્યા ઉત્સવ માટે
દિવ્ય તપસ્વીઓ
ઋષિ પત્ની અને મારી સખી બહેનપણી
આવે અશ્રુ મારી આંખોમાં II ૨ II
તેજસ્વી
એ મૂર્તિ મનોહર
મધુર શબ્દો સાથે બોલ્યા મુનિવર
નામ માં છે મહત ગુણો II ૩ II
બંને શિશુઓને
લો તમારા ખોળામાં
કઈ રીતે લઉં બંનેને સાથે
ક્ષણભર થઇ બાવરી આ સાંભળીને હું ! II ૪ II
કોઈ દિવ્ય વિભૂતિ
એક ક્ષણભર પ્રગટી
એક બાળકને લઈને હસી
બીજું મારા હાથમાં, હું કઈ ના સમઝી II ૫ II
મંત્રો ઉચ્ચારણ સાથે
આપ્યા આશીર્વચન
લવ-કુશ ના નામકરણ સાથે
ખસી ગઈ એ શાંત વિભૂતિ II ૬ II
ગીત ૯ || પ્રભાત મંત્ર ||
શ્રી સીતા માતા ઉવાચ :
સ્તનપાન આપતી
માતા જાનકી
બંને રાજકુમારોને
પક્ષીઓ કલ્લોલ
કરે મનોહર
જેમ નવ પ્રભાત મંત્રો
ગીત ૧૦ || સ્તનપાનનું મહત્વ ||
શ્રી સીતા માતા ઉવાચ :
ઓ બાળકો !
કયું હાલરડું ગાઉં
તમને હું II ધૃ II
સ્તનપાનના સમયે જાણો
મન અને આત્માની થાય જાગૃતિ
કરો સ્વાગત ગંગા - સરસ્વતી II ૧ II
રઘુવંશના કુળ દિપક તમે
નિર્ભય નિર્મળ થાય બાળપણ
નમન કરું હું તમને ભાગીરથી II ૨ II
માતૃ સૌખ્યનું આ શિખર મનોહર
સપ્ત ચક્રો થાય જાગ્રત ત્વરિત
જણાય સ્તનપાનનું મહત્વ II ૩ II
ગીત ૧૧ || સકળ તીર્થ સ્તનપાન માં ||
શ્રી સીતા માતા ઉવાચ :
આવો ગંગા માઈ
સ્તનપાન માં
આવો યમુના માઈ
સ્તનપાન માં II 1॥
આવો ગોદા માઈ
સ્તનપાન માં
આવો નર્મદા માઈ
સ્તનપાન માં ॥2॥
આવો કૃષ્ણ માઈ
સ્તનપાન માં
આવો કાવેરી માઈ
સ્તનપાન માં ॥3॥
બધા તીર્થ
સ્તનપાન માં આવો
બાળકનો પ્રેમ આનંદમય બને
આત્મજ્ઞાનમાં ॥4॥
ગીત ૧૨ || માતાના દૂધને પવિત્ર નદીઓના આશીર્વાદ ||
શ્રી સીતા માતા ઉવાચ :
સીતાની શ્રધ્ધા પ્રાર્થના,
પવિત્ર નદીઓને કહ્યું મનમાં,
માતા ગંગા પવિત્ર પ્રવાહો
માતૃ દૂધમાં આશિષ વહાવો II ૧ II
યમુના તમારા કોમળ અનુગ્રહો ,
મારા દૂધમાં વિશિષ્ઠ પ્રેમ આપો ,
ગોદાવરી નર્મદા સખી-બહેનો ,
આશીર્વચન આપો મેળવીને . II ૨ II
કૃષ્ણા રમે સંગીતમય ,
દરેક ઘૂંટડો કર જ્ઞાનમયી .
કાવેરી તારા શાંત સ્ત્રોતમાં ,
પૂજાસમ શાંતિ થાય મનમાં . II ૩ II
પવિત્ર નદીઓ , મળીને આપો ,
સ્તનપાનમાં સકળ તીર્થો ની મીઠાસ ,
શિશુઓને આપો , દિવ્ય મહિમા ,
આત્મજ્ઞાનની દૈવી ગરિમા II ૪ II
ગીત ૧૩ || લવ કુશ ઉછેર ||
શ્રી સીતા માતા ઉવાચ :
જેમ રાત આગળ વધે
તેમ રડીને તમે મને બોલાવો II ધૃ II
માતૃ વાત્સલ્ય ફરી જાગે
દૂધ પીને બાળકો થાવ તૃપ્ત
યાદ આવે તમારા પ્રભુ પિતા
ત્યારે શાંત થાય મારી વિરહ ની વ્યથા II ૧ II
ગીત ૧૪ || કર્મનું હાલરડું ||
શ્રી સીતા માતા ઉવાચ :
કર્મ કરવા હેતુ કર આપ્યો તમને, સત્કર્મ કરજો !
ભ્રમણ કરવા હેતુ, પદ દીધાં તમોને સન્માર્ગી બનજો !
જગત દેખવા નયનો દીધાં તમોને,
સુક્ષ્મ દષ્ટી રાખજો !
શ્રવણ કરવા કર્ણ દીધાં તમોને,
શ્રૃતિઓ શ્રવણ કરજો !
સત્ય વદવા જીલ્લા આપી તમોને,
સત્યાવાદી બનજો !
આનંદિત થવા મન દીધું તમોને,
પ્રભુ ચિંતન કરજો !
ગીત ૧૫ || આશિષ આપે શ્રી રામ ||
શ્રી સીતા માતા ઉવાચ :
હે પુત્ર પૌત્રી સમર્થ થાવ I
ગુણવંત થાવ આશિષ આપે શ્રી રામ II
હે પુત્ર પૌત્રી સદ્દબુદ્ધ થાવ I
સદભક્ત થાવ આશિષ આપે શ્રી રામ II
હે પુત્ર પૌત્રી સત્કર્મી થાવ I
સત્કૃતિ કરો આશિષ આપે શ્રી રામ II
ગીત ૧૬ || માતાનો પ્રેમભર્યો પલ્લૂ ||
શ્રી સીતા માતા ઉવાચ :
મારા લવ કુશ બાળકો
લો તમે પ્રેમાળ
માતાનો પલ્લૂ માયાનો II ધૃ II
ચિત્તમાં રહેવા દો
નિર્ગુણ ની વૃત્તિ
માતાનો પલ્લૂ માયાનો II ૧ II
હૃદયમાં વસવા દો
પ્રભુની મૂર્તિ
માતાનો પલ્લૂ માયાનો II ૨ II
જાગ્રત અને શુષુપ્ત અવસ્થામાં
રાખો શુદ્ધ અંતઃકરણ
માતાનો પલ્લૂ માયાનો II ૩ II
જીવન ચરિત્ર રાખો
આત્મ-જ્ઞાન કેન્દ્રિત
માતાનો પલ્લૂ માયાનો II ૪ II
જીવન યશસ્વી થાય ત્યારે,
યાદ કરજો જરૂર
માતાનો પલ્લૂ માયાનો II ૫ II
ગીત ૧૭ || સાજન નહીં આવ્યા ||
શ્રી સીતા માતા ઉવાચ :
સાજન નહીં આવ્યા
મારા પિયા પ્રભુ રામ ન આવ્યા II ધૃ II
ચંદ્રમા ની શીતળ છાયા
તારાઓની પણ ટિમ-ટિમ કાયા
વૃક્ષોએ પણ નજર નમાવી
વિરહના ગીત ગાયા II
ગીત ૧૮ || વિરહમાં સીતા ||
સખી ઉવાચ :
(સીતાને સમજાવતા)
લવ-કુશની માતા
ખુશ થઇ રઘુરાજ સ્મરણ સતત કરતાં
આવે કેમ પ્રભુ
જો હૃદયમાં બિરાજતા ।।
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૩
શુભં ભવતું । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।