ગીત ૧ ।। સદ્શ્રમ ।।
સારાંશ:
લવ અને કુશ સીતા માતાની દૈનિક પૂજા નું અવલોકન કરે છે, જ્યાં તે ભક્તિ અને જ્ઞાન ના મધુર ગીતો ગાય છે. સીતા, તેમના માર્ગદર્શક તરીકે, આધ્યાત્મિક જ્ઞાન ને વ્યવહારુ મૂલ્યો સાથે જોડે છે. તે શીખવે છે કે સત્શ્રમ એ વિચાર, કાર્ય અને સમૃદ્ધિ વચ્ચે એક આવશ્યક કડી છે.
તે ભાર મૂકે છે કે ભગવાને આપણને જ્ઞાન થી આશીર્વાદ આપ્યા હોવાથી, શુદ્ધ આચરણ, શુભ વિચારો, ધર્મનિષ્ઠા, શ્રેષ્ઠતા અને મૂલ્યવર્ધન સાથે પવિત્ર સત્શ્રમ કરવાથી કુદરતી રીતે સમૃદ્ધિ મળે છે.
શબરીએ ભગવાન રામને આપેલા પ્રેમાળ ફળનું ઉદાહરણ ટાંકીને, સીતા સમજાવે છે: "દરેક કાર્યમાં એવી ભક્તિ અને શ્રેષ્ઠતા લાવો કે ભગવાન પોતે પણ તમારા અર્પણ કરેલા કાર્યોને સ્વીકારે."
લવ અને કુશ આ ઉપદેશને આત્મસાત કરે છે, અને નક્કી કરે છે કે સત્શ્રમ (સદ્ગુણ) અને પ્રામાણિક કાર્યો જીવનને પવિત્ર યાત્રામાં પરિવર્તિત કરે છે.
લવ-કુશ ઉવાચ :
માઁ સદ્શ્રમ નું મહત્ત્વ શું છે ?
જોડ પદ્યાંશ
સીતા નિત્ય પૂજન કરે
ક્યારેક ભજન ક્યારેક આરતી ।।
બાળકો જુએ કુતુહલથી
પ્રભુ-પૂજન અને અર્ચના કરે ।।
પૂજા કરતા સાથે બેસે પુનીતા
મીઠી વાતો કરતી સીતા ।।
બાળકોને સીતા સમજાવે
સદ્શ્રમનું મહત્વ બતાવે ।।
ગીત ૧ ।। સદ્શ્રમ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
પગમાં ઝાંઝર
હાથમા કંકણ
દેખાવવા બજાવવા માટે ના હોય
મનમાં હોવો જોઇએ સત્સંગ
અને પગમાં સંયમ તથા હાથોમાં સશ્રમ ।। ૧ ॥
મુખમા ભોજન
આંખમાં અંજન દુષ્કર્મ નું ના હોય
મુખમાં શ્રીરામ
મનમાં શ્રીરંગ
સદા રાખો પ્રિયજન ।। ૨ ।
ગીત ૨ ।। સમૃધ્ધિ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
કોઈ કરે ભક્તિ
કોઇ કરે યુક્તિ
ચરણમાં લીન થાય જે કોઈ
તેને પ્રભુની અનુરક્તિ ।। ધૂ. ॥
કોણ શું આપી શકે
કોણ શું લઇ શકે
પ્રભુવર છે સ્વામી
છે સઘળું તેનું ।। ૧ ।।
એણે સૌને બુધ્ધિ આપી
કરો કર્મ શુધ્ધી
જ્યાં હોય મૂલ્યવૃધ્ધિ
ત્યાં થાય સમૃધ્ધિ ।। ૨ ॥
ગીત ૩ ।। કાર્ય ગુણવત્તા ।।
સખી ઉવાચ :
વાત બની એક વિસ્મયની
પ્રભુના વનવાસના સમયમાં
પંપા સરોવરના રમણીય તીરે
પ્રેમની ભક્તિ શબરી ત્યાં કરે ।। ૧ ।।
વનમાં અસંખ્ય બોર દેખાય
ચાખી અર્પણ કર્યા જે હતા મીઠા
એઠું સેવન આપી શબરી
શું બતાવે વનની શબરી ? |॥ ૨ ||
શ્રી સીતા માતા ઉવાચ :
સંવાદમાં, ઉત્પાદનમાં
દીન રાત સેવાકાર્યમાં
એવા સારા ગુણ કરે
સ્વીકાર પ્રભુજી પણ કરે || ૩ ||
ગીત ૪ ।। જીવન શુધ્ધિ ।।
લવ-કુશ ઉવાચ :
ના હોય દૂર ક્યારે પ્રેમરૂપ
ચાલવાનો પથ હોય ઇશ્વર અનુરૂપ
નદીનો ઉદ્ભવ ઝરણું શુધ્ધ
જન્મનો એમ જ આત્મા પ્રબુધ્ધ ।। ૧ ।।
જગ્યા-જગ્યાએ ઝરતા થાય પાણી
મેલા પાણી ને છાણીને-ઉકાળીને કરે પવિત્ર ઉજળો ચંદ્ર
જીવન અશુધ્ધ બનતા અવિવેક થી
ફરી શુધ્ધ કરો સત્કર્મોથી ।। ૨ ।।
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૨૦
શુભ ભવતુ | ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||