સારાંશ :
આ પ્રકરણમાં માતા સીતાની રાવણના લંકામાં બંદીવાસથી લઈને રામ સાથેના તેમના પુનર્મિલન સુધીની સફરનું વર્ણન કરવામાં આવ્યું છે, જે ભાવનાત્મક ઉથલપાથલ, દૈવી કૃપા અને ગહન જ્ઞાનથી ભરેલી સફર છે.
વાલ્મીકિ આશ્રમમાં પોતાની સખીઓ સાથે વાતચીત કરતી વખતે, સીતા અશોક વાટિકા યાદ કરે છે - એક શાંત અશોક વૃક્ષ જેણે રાવણના બંદીવાસમાં તેમનું દુઃખ જોયું અને તેમને સાંત્વના આપી.
તે હનુમાનના આગમનને યાદ કરે છે, જે આશાનું કિરણ હતું, અને શ્રી રામને બચાવ માટે વિનંતી તરીકે જેમને પોતાની ચૂડામણી સોંપી હતી.
રાવણ પર ભગવાન રામનો વિજય ફક્ત વ્યક્તિગત નહોતો, પરંતુ અધર્મનો નાશ અને ધર્મની પુનઃસ્થાપના હતી. તેમનું પુનર્મિલન પ્રેમ, પીડા અને ભક્તિનો સંગમ છે - સીતા રામના ચરણોને આદરપૂર્વક સ્પર્શ કરે છે, અને રામ, પ્રેરિત થઈને, ફરજના જીવંત આદર્શ તરીકે ઉભા રહે છે.
આ પછી, રામ વાંદરાઓને ધાર્મિક જીવનનો અમર ઉપદેશ આપે છે, જે આવનારી પેઢીઓને માર્ગદર્શન આપે છે.
ધર્મ પુનઃસ્થાપિત થતાં, રામ અયોધ્યા પાછા ફરે છે, જે તેમના લોકો પ્રત્યે સમર્પિત ધાર્મિક શાસક છે. સીતા તેમના ભવ્ય શાસનને યાદ કરે છે - એક એવું રાજ્ય જ્યાં શ્રદ્ધા, સદ્ગુણ અને પ્રેમનું શાસન હતું.
છતાં, તેમની કરુણા ફક્ત વિજય સુધી જ નહીં, પરંતુ યુદ્ધમાં શહીદ થયેલા યોદ્ધાઓના પરિવારોના દુઃખ સુધી પણ વિસ્તરે છે. તે શ્રી રામને વાલ્મીકિ આશ્રમમાં રહીને પણ શોકગ્રસ્તોને સાંત્વના આપવા વિનંતી કરે છે, અને રામનો અંતરાત્મા ખાતરી આપે છે - તેમના આત્માઓની શાશ્વત મુક્તિ.
આ પ્રકરણ પ્રેમ, ફરજ અને આત્મ-અનુભૂતિની ઊંડી લાગણીઓને જોડે છે, જે એક અનંત પ્રશ્ન છોડી દે છે - શું આ ક્ષણ પછી બીજું કંઈ છે?
જોડ પદ્યાંશ
કપટ થીજ કર્યું મારુ હરણ
લંકામાં લઇ આવ્યો મને દુષ્ટ રાવણ I
નિત્ય પ્રભુ રામનું નામસ્મરણ
આ વિશ્વાસ કરશે મને મુક્ત II
ગીત ૧ II અશોક વૃક્ષની છાયા II
શ્રી સીતા માતા ઉવાચ :
અચાનક મને યાદ આવી
અશોક વૃક્ષની છાયા
અત્યંત દુઃખના સમયે
એજ થઇ મારી માતૃ છાયા II ૧ II
ચારો તરફથી બીભત્સ શક્તિઓ
મને નિત્ય ધમકાવતી
ત્યારે રક્ષા કવચ મારી આસપાસ
એજ છાયા મને આપતી II૨ II
તરત આશીર્વાદ આપતી
અશોક વૃક્ષની કૂંપળો
“અખંડ આત્મ સૌભાગ્યવતી
શ્રીરામની, તું વૈદેહી” II ૩ II
શ્રી રામ ઉવાચ (અંતર્મનમાં સીતાને સંદેશ)
જાનકી, તને વચન આપ્યું
છે તું મારી આત્મ-સંગીની
આજ છે સંકલ્પ જાણ તું
જન્મ જન્માંતરનો II૪II
જોડ પદ્યાંશ
વચનબદ્ધ પ્રભુ સંકલ્પથી ,
રામ સૈન્ય શોધે સીતાને I
હનુમંત આવતા અશોક વનમાં ,
બાંધ ફૂટે સિય વેદનાનો II
ગીત ૨ II ચુડામણી II
શ્રી સીતા માતા ઉવાચ :
હે હનુમંત
વાયુ સુપુત્ર
લો આ
ચુડામણી II ધૃ II
અર્પણ કરીને
પ્રભુ ચરણોમાં
કહો વ્યથિત
હું મનમાં II ૧ II
પક્ષી સુંદર
વૃક્ષ છે શાંત
દુઃખી મારી જેમ
છે આખું વન II ૨ II
કહીં મારા મનની
અનન્ય ભાવના
લઇ જાઓ મને
કહો તો કોઈ II ૩ II
ઘોર નિશા આ
સરસે ક્યારે
વિચાર એકજ
છે આ મનમાં II ૪ II
જોડ પદ્યાંશ
જુની યાદોમાં હતી તનમન સીતા
સખીઓએ પ્રશ્ન કર્યો ધરી આતુરતા
અમોને આશંકા ઉઠે છે કેમ
કે પ્રભુએ રાવણનો વધ કર્યો કેમ ? ।। ૧ ।।
સખીઓની શંકાઓનું સમાધાન કરતા
સીતાના મનમા ખ્યાલ આવ્યો
અપહરણમાં અધર્મનું રહ્યુ મૂળ
વિજયથી ધર્મ પુનઃ સ્થાપિત થયો ।। ૨ ।।
ગીત ૩ ।। સીતા રામ પુનર્મિલન ।।
શ્રી સીતા માતા ઉવાચ :
વીર હનુમાન સંદેશ લાવ્યા
પ્રભુ રામ વિજય પામી આવ્યા
કપટી રાવણનો થયો સંહાર
આ છે ધર્મનો જય જયકાર ॥ ૧ ॥
પ્રભુ દર્શન માટે બેચેન મારૂ મનવા
શિઘ્ર ગઇ એમને મળવા
નયનો અશ્રુથી ભરાયા
મનમાં સુખ ભર્યુ ના સમાય ॥ ૨ ॥
અંજનિ પુત્ર હનુમાન વીર
સન્મુખ ઉભા સાથે સેના અપાર
નમ્ર હાથ સહુ જોડી ઉભા
આસન છોડી પ્રભુ આગળ ગયા ।। ૩ ।॥
પ્રભુચરણ સ્પર્શતા આંખમાં અશ્રુ ઉભરાયા
ભીની બની ધરતી માઁ ડુસ્કાતી રડતા
વ્યક્ત કરૂ હું આનંદ કેવી રીતે
કંઠ રૂંધાયો પ્રભુનો આખો અશ્રુ બહાવે ।। ૪ ।।
નિઃશબ્દ રામ સ્તબ્ધ થયા
મનોમન પ્રભુ પ્રેમ અનુભવતા
ભય નથી હવે પ્રિયતમ સીતે
અંતમાં સત્ય ધર્મ જ જીતે ॥ ૫ ॥
પતિ-પત્નિનું આ પવિત્ર મિલન
અચકાયા રામ દેખી વાનર ગણ
તે છુપાવી પુછે શ્રીરામ
હનુમાન ! રણમાં ઘા લાગ્યો ।। ૬ ।।
ના ભગવાન, હું સ્વસ્થ રહ્યો
રામ સ્મરણ હર પળ રહ્યુ
થતા માઁ સીતાના પ્રિય દર્શન
જાણે ઘા પર થયુ શીતલ લેપન ॥ ૭ ॥
આનંદિત થયા વિજયી હનુમાન
વ્યક્ત કરવા અબુદ્ધ બન્યા મનોમન
પૂજાના ફૂલ કરવા લાગ્યા સેવન
ચુસકી લઈ કરતા મધુપાન ॥ ૮ ॥
પૂછે સહુ વિરોના કુશળ
સર્વે પર પ્રેમ પ્રભુનુ અચળ
સહુ કહે વિનયથી
સુખ પામ્યા ધર્મના વિજયથી ।। ૯ ।।
કર કમળોથી પ્રભુએ ઉઠાવી
આસન પર મને પાસે બેસાડી
લૂછી બન્ને નયનો પાલવથી
રોમ રોમ પૂલકિત થઈ પ્રભુ મિલનથી ।। ૧૦ ।।
સાથે બેઠા જોઈ રામ સીતાને
હર્ષોલ્લાસથી વાનરો ગરજે
પુષ્પ વૃષ્ટિ થઇ અપરમપાર
જળની ધારા બરસી અપાર ।। ૧૧ ।।
પ્રભુએ હાથથી સહુને કર્યા શાંત
કોલાહલ શમાવ્યો અનંત
હાથ જોડી વાનરો નમ્ર થયા
પ્રેમથી ઉભાં વાણી સુણવા ॥ ૧૨ ॥
શ્રીરામ ઉવાચ (ધર્મ ઉપદેશ)
વાનર સેના ધ્યાન રાખજો
ધર્મનું કાર્ય કરી ધન્ય થાજો
આત્મોન્નતિ લ્યો ઉપહાર
વાનર પૂજન કરે સંસાર ॥ ૧૩ ॥
અધમ કદિ ના પ્રગતિ કરે
પર સ્ત્રી માતા સ્થાને રહે
યુગ યુગ ફૂલે ફાલે ધર્મથી
જન સદા પ્રફુલ્લિત થાય સત્કાર્યથી ।। ૧૪ ।।
સર્વ જીવોને રક્ષણ મળે
આત્મજ્ઞાન થી બુધ્ધી ખીલે
વાત્સલ્ય આપો બાળકોને
આદરો વૃધ્ધજનોને ॥ ૧૫ ॥
ગુરુજન પ્રત્યે નમ્ર રહો
જ્ઞાનની ગંગા સદા વહાવો
સવ્યવહાર અપનાવ્યા કરો
આ કુલાચાર નિભાવ્યા કરો ।॥ ૧૬ ॥
પતિ-પત્ની છે રથના ચક્ર સમાન
સંગે આત્મ પ્રગતિ કરવી મહાન
દીન દુઃખીને સહાય આપજો
સત્કર્મોના બીજ રોપવા ।। ૧૭ ।।
સૃષ્ટી મારી, હું સૃષ્ટીનો
સદાય રહે આ રૂપ દષ્ટીનો
કાળના બંધન ટૂટશે
મહાત્માઓના દર્શન થશે || ૧૮ ||
સદ્ઉદ્યોગ કાર્ય નીત્ય કરવું
જન-સમાજ હિત નિત ધ્યાન મા રાખવુ
દિવ્ય કાર્ય માટે પ્રાણ પણ આપજો
પ્રભુ સાથે એકરૂપ રહેજો ।।॥ ૧૯ ॥
સર્વ જીવોનો આ છે આધાર
ધર્મનો છે આજ સાક્ષાત્કાર
કરો આ બોધનો વિસ્તાર
નર-નારીનો આ છે અવતાર ॥ ૨૦ ॥
શ્રી સીતા માતા ઉવાચ :
અધિકારભરી આ સુનતા વાણી
શાંત થયા સહુ વીર સેનાની
ધન્ય ધન્ય સહુને થયુ
મનમા બિરાજીત થયા પ્રભુ ।। ૨૧ ।।
હું પલક ઉઠાવી જોયુ
તેજ પ્રભુનું દેખાયુ
સાગર જેવા નયનોમાં
પૂરી ગઇ સમાઇ મનોરમા ।।૨૨ ।।
જોડ પદ્યાંશ :
જ્યારે તે પ્રભુ ચરણોમાં મળી,
સીતાના હૃદયમાં ફૂલ ખીલ્યું.
પ્રભુ ચરણોમાં રહીશ,
ક્યારેય તેમનાથી દૂર ન જાઉં.
ગીત ૪ ।। સુખદ ક્ષણ ।।
શ્રી સીતા માતા ઉવાચ :
સાંભળ સખી, અરી ઓ સખી...
મારૂં આનંદનું આ ગીત
લંકાથી મને મુક્તિ અપાવી
પ્રભુની આ અદ્ભૂત પ્રીત ॥ ૧ ॥
સાંભળ સખી, અરી ઓ સખી...
હવે તો બસ એટલુ માંગું
પ્રભુ ચરણોમાં ચિત્ત રમાડું
સુખદાઇ આ પળને હું
સદાકાળ માટે સમાવું ।। ૨ |॥
જોડ પદ્યાંશ :
સખી શંકા થાય સમાધાન,
સ્મૃતિઓમાં સીતા ફરી લીન II
રામરાજ્યનો સંસાર યાદ આવ્યો ,
રઘુકુળ ની એ અનુપમ માયા II
ગીત ૫ || જોયો મેં રામરાજ્ય સંસાર ||
શ્રી સીતા માતા ઉવાચ:-
જોયો મેં રામરાજ્ય સંસાર , (સખી રે ),
મારા પ્રભુએ તેને વાસ્તવિક બનાવ્યું I
તેમણે દરેક હૃદયને એક વાર પોરાવ્યા ,
જેમ કે તે મંદાર ફૂલોની માળા II ધૃ II
પૂર્વમાં ખુશીનો સૂર્ય ઉગ્યો,
અયોધ્યા નગરીમાં હાસ્ય ખીલ્યું I
બહુરંગી ફૂલોના વસંતની જેમ,
બધે અપાર આનંદ ફેલાયો II
રામરાજ્ય સંસાર ... ||૧||
ભાઈ ભરતની ભક્તિ,
રાજધર્મનું પ્રેમથી ભરેલું આચરણ I
શાંત સ્વરોમાં અપાર વિચારો,
બધા લોકોના કલ્યાણનો સંચાર II
રામરાજ્ય સંસાર...||૨||
કામમાં રોકાયેલા લક્ષ્મણ નિઃસ્વાર્થ,
જેનું નિવાસસ્થાન હતું લોકોનું કલ્યાણ I
શાશ્વત સત્યના આચરણનો સાર,
સ્વર્ગમાંથી અવતાર આવ્યો II
રામરાજ્ય સંસાર…||૩||
માતા અપાર આશીર્વાદ આપે,
“રઘુકુળનો અમૂલ્ય વારસો” કહીને I
ભગવાન સ્નેહાધાર ને અનુસરીને,
પિતાને અપાર આત્મ-આનંદ મળે II
રામરાજ્ય સંસાર…||૪||
ગીત ૬ II આજે સખી રે II
શ્રી સીતા માતા ઉવાચ :
આજે સખી રે
મનમાં ખટકે
અલગ એવો
વિચાર I
લંકાપતીના
લાખો એવા યોદ્ધા
સ્વામીનિષ્ઠ
હતા અપાર II૧ II
રાવણના અવિવેકથી
નિષ્કારણ તેઓનો
થયો હતો
સંહાર I
અત્યંત દુઃખી
થયો એમનો
નિર્દોષ
પરિવાર II૨II
સમય જતા
મનમાં ખટકે
આજ એક
વિચાર I
પ્રભુ શ્રી રામ !
આપો મુક્તિ એમને
તે માટે કરું હું
તમને નમસ્કાર II૩II
શ્રી રામ ઉવાચ
(અંતર્મનમાં)
નહિ જાનકી
તારા માતૃ હૃદયમાં
એમને માટે
નહિ કર શોક I
તે સકળ આત્માઓ
મારા ચરણોમાં
થયા છે
નિરાકાર
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૬
શુભં ભવતું । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।