આત્મ પ્રગતિનો માપદંડ
સારાંશ:
લવ અને કુશ આધ્યાત્મિક વિકાસ વિશે જિજ્ઞાસા વ્યક્ત કરે છે.
સીતા તેમને એક વ્યાપક દ્રષ્ટિ આપે છે જે વ્યક્તિની સફરને સર્જન, પાલનપોષણ અને વિનાશના વૈશ્વિક ચક્ર સાથે જોડે છે.
તે માનવ આત્માના વિકાસના વિવિધ તબક્કાઓ સમજાવે છે - એક શિશુ જે માતાપિતાને ઓળખે છે, એક બાળક જે જ્ઞાનનો આદર કરે છે, એક યુવાન જે સદ્ગુણી જીવન અપનાવે છે, કુટુંબને પવિત્ર કરે છે અને નિઃસ્વાર્થ સેવામાં આનંદ મેળવે છે. સાધક આંતરિક શાંતિની સ્થિતિ પ્રાપ્ત કરે છે જ્યાં તેને સ્વ અને પ્રકૃતિ વચ્ચે કોઈ વિભાજન દેખાતું નથી. સમયની મર્યાદાઓથી મુક્ત થઈને, સાધક આધ્યાત્મિક ગુરુઓના માર્ગદર્શન હેઠળ ઉગે છે, અને આખરે પૃથ્વી પર "ભગવાનનું ઘર" (સાર્વત્રિક સંવાદિતા) બનાવવા માટે દૈવી ઇચ્છાનું સાધન બને છે.
આ પ્રકરણ ગહન રીતે દર્શાવે છે કે આધ્યાત્મિકતા જીવનથી અલગ અસ્તિત્વમાં નથી, પરંતુ તેના દરેક સંબંધો, શિક્ષણ અને સેવામાં ખીલે છે. તે વાચકને વિચારવા માટે પ્રેરે છે - તો આત્માનું અંતિમ મુકામ શું છે?
જોડ પદ્યાંશ
સીતાનો આ નિત્ય નિયમ હતો
સંધ્યાનું આ પાવન કૃત્ય હતું
બાળકો અને આશ્રમની સખીઓ
સાથે બેસી કરતી વાતો ।। ૧ ।।
ચર્ચાનો વિષય કોઇ રહેતો
વિવેચનની સુરસરિતા વહેતિ
પકડી ધર્મ-જ્ઞાન-સંસ્કારનો તત્ત્વબિંદુ
ચર્ચિત થતા બહુ તત્ત્વસિંધુ ।। ૨ ।।
ચર્ચામાં એક દિવસ પ્રશ્ન ઉઠયો
લવ-કુશ ભાઈઓ એ હતો પૂછ્યો
આત્મ જ્ઞાન શું છે બતાવો
આત્મ પ્રગતિ શું તે સમજાવો |।। ૩ ।।
ગીત ૧ ।। આત્મ પ્રગતિનો માપદંડ ।।
લવ-કુશે કહ્યું:
માતા, 'આત્મ-સાક્ષાત્કાર' શું છે,
આપણે સ્વ-પ્રગતિના પરિમાણો કેવી રીતે ઓળખી શકીએ?"
શ્રી સીતા માતા ઉવાચ :
ઉત્પત્તિ, સ્થિતિ અને વિલય
પ્રકૃતિની ગતિ છે કાળમય
કરી વ્યાપ્ત સઘળું બ્રહ્માંડ
ચાલે છે સદા અખંડ || ૧ ||
જેમ આપણા સૂર્યનારાયણ
આખા જગના પ્રાણ પરાયણ
તેમનું દસ લાખ કોટી વર્ષ
રહેશે અવતાર જાણો સહર્ષ ।। ૨ ।।
પ્રત્યેક જીવનું જે આત્મજ્ઞાન
ઇશ કૃપા નું છે વરદાન
પક્ષી જેમ કરે લાંબુ ઉડાન
નિર્વિઘ્ન પાર કરે અનેક યોજન ।। ૩ ।।
મનુષ્ય જીવ સર્વોત્તમ છે
આત્મ પ્રગતિના માપદંડ અનેક છે
બતાવું તમને એના વિષે
ધ્યાનથી સાંભળો તમે વિષેશે ।। ૪ ।।
દૂધ પિતુ બાળક ભોળું નવજાત
ધીરે ધીરે જાણે પિતા-માતા
આત્મપ્રગતિના રૂપાળા પથ પર
પગલા પાડે સૌ પ્રથમવાર ।। ૫ ।।
ઉમર-બુધ્ધિથી બાળક વધે જ્યારે
ગુરુને સદા નમન કરે ત્યારે
જ્ઞાન મેળવવા લાગે જ્યારે
આત્મજ્ઞાન પથ પર આગળ વધે ત્યારે ।।૬ ||
યુવાન ઉમર ને પ્રાપ્ત કરી નૂતન
સત્ ઉદ્યોગમાં લગાવે મન
આત્મ પ્રગતિનું અમૂલ્ય ધન
લક્ષ્મીરૂપ પ્રાપ્ત કરે જન ।। ૭ ।।
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે જ્યારે
પતિ-પત્નીના સંબંધ હોય ત્યારે
શિવ-શક્તિ સમાન એને સમજે
આત્મ પ્રગતિના પથ પર સજે ।। ૮ ।॥
સર્વે જ્યારે પોતાનો સમજે
પરહિત માટે કષ્ટ કરે
પરમાર્થના પુષ્પ વીણે
આત્મજ્ઞાની થાય તે ગુણે ॥ ૯ ॥
ત્યારે મળે તેને આ દિવ્ય દ્રષ્ટિ
હું સૃષ્ટિનો, છે મારી જ સૃષ્ટિ
આત્મસુખ તે પામે
તત્ત્વ જાણી જ્ઞાની બને ।।| ૧૦ ||
મુક્ત થાય કાળ બંધનથી
પગ-પગ પરના સુસંવાદોથી
સંતોનું જો પામે માર્ગદર્શન
આત્મજ્ઞ થાય છે એ જન ।। ૧૧ ।।
દૈવી સંસાર જો રચે
એકરૂપ થાય પ્રભુ સાથે
તો સમજો કે થશે તેને સુકર
આત્મપ્રગતિનું સર્વોચ્ચ શિખર II ૧૨ ॥
ગીત ૨ ।। સૃષ્ટીની એકરૂપતા ।।
લવ-કુશ ઉવાચ :
લહેરાય જેમ સાગર ની લહેરો
મસ્ત હવા અમને કહે
જાણો છો કે અમે છીએ તમારા
જાણો છો કે તમે છો અમારા ।। ટેક ।।
પર્વતોના શિખરે
આકાશના ખોળે
વાદળોના ઢગલામાં
વાતચીત ભલા શું કરવી ? ।। ૧ ।।
ઝરમર ઝરમર વર્ષા વર્ષે
ચમક ચમક કરતી વીજળી બોલે
જાણો છો કે અમે છીએ તમારા
જાણો છો કે તમે છો અમારા ।। ૨ ।।
જોડ પદ્યાંશ
સીતા માતા બન્ને પુત્રોને,
લેતા વન ગિરી ભ્રમણ માટે I
વાતચિત કરે પ્રિય વૃક્ષ-પક્ષીઓ સાથે ,
અને આપે સંસ્કાર શિશુઓને II
ગીત ૩ II યાદોના સપ્તસૂરોમાંથી II
શ્રી સીતા માતા ઉવાચ :
યાદોના સપ્તસૂરોમાંથી
ઝગમગતા આગિયાઓ
કોઈક દુઃખની કોઈક સુખની ,
બહુ આપી આશાઓ II
જીવનસિંધુના મહાસાગરમાં ,
મોજા ક્ષણમાં તૂટતાં
અનંત આરવ * આવતા હૃદયમાં
ફરી ફરીથી સ્ફુરતાં
* આરવ શબ્દનો અર્થ - પરા વાણીનું સૂક્ષ્મ સ્ફુરણ
ગીત ૪ II પક્ષી પ્રિયજનોની ભેટ II
શ્રી સીતા માતા ઉવાચ :
પ્રિય પક્ષીઓ તમને મળવા
જાનકી આવી વાત કહેવા
ઊંચી ઉડાણ લો ગગનમાં
પ્રભુ ચિન્તન સદા રાખો મનમાં II ધૃ II
મધુર સ્વરોમાં કરે કિલકિલાટ
ભૂમાતાને સ્મરો નિત્ય
રંગબેરંગી સુમાનોથી
સજાયેલા વૃક્ષો ડોલે વનમાં II ૧ II
શોધી ચાંચથી ડાંખળા પાન
માળો બાંધો મંગળ મોહક
“ચરૈવેતિ” * આ સંસ્કારોનો
પીલુઓને આપો મંત્ર સુખનો II ૨ II
* “ચરૈવેતિ” = આગળ ચાલતા રહો, નવી દિશાઓ શોધતા રહો , જુના વિચારોને ત્યાગી દો, સૃજનાત્મકમ એવી દ્રિષ્ટિ રાખો અને જે રીતે એક નદી ડુંગરાઓ પાર કરીને દરિયા તરફ આગળ વધે છે એજ રીતે તમે પણ આગળ ચાલતા રહો .
જોડ પદ્યાંશ
રોજ જંગલમાં સિયા ફરે,
એકત્રિત કરવા માટે ફૂલો વન સંપત્તિ I
હંમેશા નવા માર્ગની શોધમાં
વન-છોડ કહે પોતાના મનની વાત
ગીત ૫ || દ્રષ્ટિ સ્પર્શ ||
(થોડા સમય પછી, જ્યારે સીતા માતા જંગલના રસ્તે પાછા ફર્યા, ત્યારે ત્યાંના છોડની લાગણીઓ આ પ્રમાણે હતી)
વન વનસ્પતિ ઉવાચ:-
ઘણા દિવસો વીતી ગયા,
તમે અમને મળવા
કેમ નથી આવ્યા,
અમારા પ્રિય સિયા.
દ્રષ્ટિ સ્પર્શ
શું અમે,
તમારી સખીઓ એ
તમારો ગુમાવ્યા ? || ૧ ||
શ્રાવણ મહિનામાં,
વરસાદ ના મોજા
પૃથ્વી ખુશીઓથી
ખીલી ઉઠે છે.
અમે જંગલના
છોડને રોજ
લીલી સાડી
પહેરાવીએ છીએ. || ૨ ||
ઘણા દિવસો વીતી ગયા,
તમે કેમ નથી આવ્યા…….
ઇતિ શ્રી સીતા શક્તિ કાવ્ય સર્ગ ૧૨
શુભં ભવતુ । ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ।।