June-2019

તા. ૨૭-૬-૧૯

'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯' ના મુસદ્દા પર સંગોષ્ઠી :

ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણ વિદ્યાશાખા દ્વારા તારીખ ૨૭-૬-૧૯ના રોજ 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯' ના મુસદ્દા પર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલનાયક પ્રો. અનામિક શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સંગોષ્ઠીમાં કા. કુલસચિવ પ્રો. ભરત જોશી સહિત વિવિધ વિભાગના અધ્યાપકોએ સક્રિય સહભાગીદારી કરી હતી. આ સંગોષ્ઠીમાં ૬૨ સહભાગીઓ જોડાયા હતા. શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપકોએ મુસદ્દામાં સમાવિષ્ટ ઉચ્ચ શિક્ષણ વિષયક વિભિન્ન પ્રકરણોની છણાવટપૂર્ણ રજૂઆત કરી સૂચનો પણ કર્યા હતા. સંગોષ્ઠી દરમિયાન સહભાગીઓએ મુસદ્દાના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. સહભાગીઓમાંથી પણ અમૂલ્ય સૂચનો પ્રાપ્ત થયા હતા. સંગોષ્ઠીને અંતે પ્રત્યેક સૂચનોનું સંકલન કરીને તેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો મોકલવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રો. જિજ્ઞેશ પટેલ, ડૉ. મહેશ દીક્ષિત અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ કર્યું હતું.