તા. ૨૨-૭-૧૯

પાઠ્યવસ્તુનું વાચન અને ચિંતનાત્મક અભિવ્યક્તિ કાર્યશાળા :

શિક્ષણ વિદ્યાશાખામાં બી.એડ્. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે તા ૨૨-૭-૧૯ ના રોજ પાઠ્યવસ્તુનું વાચન અને ચિંતનાત્મક અભિવ્યક્તિ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ચિંતનાત્મક વાચન કરી અભિવ્યક્તિ તરફ પ્રેરિત કરવાનો હતો. તેમાં ડૉ. નિલેશ કાપડિયાએ શિક્ષક-પ્રશિક્ષણમાં વાચન અને ચિંતનાત્મક અભિવ્યક્તિની આવશ્યકતા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ વિદ્યાર્થીઓને આદર્શવાચનની અગત્ય જણાવી આદર્શવાચન કરતી વખતે ધ્યાનમાં રાખવાની વિગતો પ્રાયોગિક કાર્ય દ્વારા સમજાવી હતી. ડૉ. મહેશ નારાયણ દીક્ષિત દ્વારા વિદ્યાર્થીઓને ચિંતનાત્મક અભિવ્યક્તિની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. અંતે જૂથકાર્ય દ્વારા વિદ્યાર્થીઓને ચિંતનાત્મક અભિવ્યક્તિની તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમના આયોજક તરીકે ડૉ. મહેશ નારાયણ દીક્ષિત અને ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.