જ્ઞાન-વિજ્ઞાન- યોગ
અધ્યાય સાતમો
શ્રીભગવાન બોલ્યા :
આસક્ત મુજમાં, મારા આશ્રયે યોગ યોજતો,
જેમ સમગ્ર નિ:શંક મને જાણીશ, તે સૂણ. ૧/૭
વિજ્ઞાન સાથ આ જ્ઞાન સંપૂર્ણ કહું છું તને,
જે જાણ્યાથી પછી બીજું જગે ના જાણવું રહે. ૨/૭
હજારો માનવે કોક સિદ્ધિનો યત્ન આદરે;
ને સિદ્ધ યતિઓમાં'યે કો’ જ તત્ત્વે લહે મ’ને. ૨/૭
હજારો માનવે કોક સિદ્ધિનો યત્ન આદરે;
ને સિદ્ધ યતિઓમાં'યે કો’ જ તત્ત્વે લહે મ’ને. ૩/૭
ભૂ,જળ,અગ્નિ, વા,વ્યોમ, મન, બુદ્ધિ, અહંકૃતિ;
આ આઠ રૂપના ભેદે મારી પ્રકૃતિ છે રહી. ૪/૭
આ તો અપર, છે અન્ય પર પ્રકૃતિ તે થકી;
જીવરૂપ થઇ જેણે, જાણ, આ જગને ધર્યું. ૫/૭
આ બે'થી સઘળાં ભૂતો ઊપજે એમ જાણજે;
આખા જગતનો, પાર્થ, હું જ ઉત્પત્તિ ને લય. ૬/૭
બીજું કોઇ નથી તત્ત્વ, મારાથી પાર જે ગણો;
હું-માં આ સૌ પરોવાયું-દોરામાં મણકા સમું. ૭/૭
રસ હું જળમાંહી છું, પ્રભા છું સૂર્યચંદ્રમાં,
(ૐ)(3) વેદે, નભે શબ્દ, નરોમાં પુરુષાતન. ૮/૭
પવિત્ર ગંધ પૃથ્વીમાં, અગ્નિમાં હુ પ્રકાશ છું;
જીવન સર્વ ભૂતોમાં, તપસ્વીઓ વિષે તપ. ૯/૭
તું જાણ સર્વ ભૂતોનું, મ’ને બીજ સનાતન,
છું બુદ્ધિમાન ની બુદ્ધિ, તેજસ્વીઓનું તેજ છું. ૧૦/૭
કામ ને રાગથી મુક્ત બળ હું બળવાનનું;
ધર્મથી ન વિરોધી જે એવો છું કામ ભૂતમાં. ૧૧/૭
વળી સાત્ત્વિક જે ભાવો, રજ ને તમના'ય જે,
મારા થકી જ તે જાણ, તેમાં હું,નહિ તે હું-માં. ૧૨/૭
આવા ત્રિગુણના ભાવે મોહેલું સર્વ આ જગત;
ઓળખેના મ’ને, જેછું તે સૌથી પાર અવ્યય. ૧૩/૭
દૈવી ગુણમયી મારી માયા આ અતિ દુ:સ્તર;
મારે જ શરણે આવે, તે આ માયા તરી જતા. ૧૪/૭
મારે ન શરણે આવે પાપી, મૂઢ, નરાધમો,
માયાએ જ્ઞાન લૂંટેલા, આસુરી ભાવ સેવતા. ૧૫/૭
ચાર પ્રકારના ભક્તો પુણ્યશાળી ભજે મ’ને
આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, ચોથો જ્ઞાની, પરંતપ. ૧૬/૭
તેમાં જ્ઞાની, સદાયોગી, અનન્ય ભક્ત, શ્રેષ્ઠ છે;
જ્ઞાનીને હું ઘણો વા’લો, તે'યે છે મુજને પ્રિય. ૧૭/૭
તે સૌ સંતજનો તો'યે જ્ઞાની આત્મા જ છે મુજ;
મારામાંતે રહ્યો યુક્ત, જેનાથી શ્રેષ્ઠ ના ગતિ. ૧૮/૭
ઘણા'યે જન્મને અંતે જ્ઞાની લે શરણું મુજ;
’સર્વ આ બ્રહ્મ’ જાણે તે મહાત્મા અતિ દુર્લભ. ૧૯/૭
કામોએ જ્ઞાન લૂંટેલા ભજે તે અન્ય દેવતા
તે તે નિયમે રાખી—બાંધ્યા પ્રકૃતિએ નિજ. ૨૦/૭
ઇચ્છે જેરૂપમાં જે જે શ્રદ્ધાપૂર્વક પૂજવા,
તેની તેની હું તેવી જ દૃઢ શ્રદ્ધા કરાવું છું. ૨૧/૭
તેવી શ્રદ્ધા ભર્યો તેની વાંછતો તે પ્રસન્નતા;
તેનાથી મેળવે કામો, મેં જ નિર્માણ જે કર્યાં. ૨૨/૭
નાશવંત ફળો પામે જનો તે અલ્પબુદ્ધિના;
દેવોના ભક્ત દેવોને,મારા ભક્ત મ’ને મળે. ૨૩/૭
અવ્યક્ત તે થયો વ્યક્ત, માને મૂઢજનો મ’ને
ન જાણતા પરંભાવ, મારો અવ્યય ઉત્તમ. ૨૪/૭
ઢંકાયો યોગ-માયાએ ના હું પ્રગટ સર્વને;
આ મૂઢ લોક જાણેના, અજન્મા, અવ્યયી મ’ને ૨૫/૭
ભૂતો જે જે થયા પૂર્વે, આજે છે ને હવે થશે,
હું તો સર્વને જાણું, મ’ને કો જાણતું નથી. ૨૬/૭
રાગ ને દ્વેષથી ઊઠે દ્વંદ્વોનો મોહ ચિત્તમાં,
તેથી સંસારમાં સર્વે ભૂતોને મોહ થાય છે. ૨૭/૭
પણ જે પુણ્યશાળીનાં પાપકર્મ ગળી ગયાં,
તે દ્વંદ્વમોહ છૂટેલા મ’ને દૃઢ વ્રતે ભજે. ૨૮/૭
જે મારે આશ્રયે મંડે છૂટવા જન્મમૃત્યુથી,
બ્રહ્મ, સંપૂર્ણ અધ્યાત્મ, સર્વ કર્મે'ય તે લહે. ૨૯/૭
સાધિ ભૂતાધિદૈવે જે, સાધિ યજ્ઞે મ’ને લહે,
જાણે પ્રયાણ કાળે'યે મને તે યુક્તચિત્તના. ૩૦/૭
શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘જ્ઞાન-વિજ્ઞાન-યોગ’ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ