જ્ઞાનનો સાર
અધ્યાય નવમો
શ્રી ભગવાન બોલ્યા :
તને નિષ્પાપને મારું સારમાં સાર જ્ઞાન આ;
કહું વિજ્ઞાનની સાથે, જે જાણ્યે દોષથી છૂટે. ૧/૯
શ્રેષ્ઠ વિદ્યા, પરમસાર, આ છે પવિત્ર ઉત્તમ;
અનુભવાય પ્રત્યક્ષ, સુકારે, ધર્મ્ અક્ષય. ૨/૯
જે મનુષ્યો અશ્રદ્ધાથી માને આ ધર્મને નહિ;
તે ફરે મૃત્યુ સંસારે, મને એ પામતા નહિ. ૩/૯
અવ્યક્ત રૂપ હું થી જ ફેલાયું સર્વ આ જગત;
હું - માં રહ્યા બધા ભૂતો, હું એ માહી રહ્યો નથી. ૪/૯
નથીએ કો હું માં ભૂતો, જો મારો યોગ ઈશ્વરી;
ભૂતાધાર, ન ભૂતોમાં, ભૂત સર્જક રૂપ હું. ૫/૯
સર્વગામી મહા વાયુ નિત્ય આકાશમાં રહે;
તેમ સૌ ભૂત મારામાં રહ્યા છે, એમ જાણજે. ૬/૯
કલ્પ ના અંતમાં ભૂતો મારી પ્રકૃતિમાં ભળે;
આરંભ કલ્પનો થાં'તા સરજુ એ સર્વને ફરી. ૭/૯
નિજ પ્રકૃતિ આધારે સરજુ છું હું ફરી ફરી;
સર્વ આ ભૂતનો સંઘ બળે પ્રકૃતિને વશ. ૮/૯
પણ એ કોઈએ કર્મ મુજને બાંધતા નથી ;
કાં જે રહ્યો ઉદાસી શો કર્મે આસક્તિહીન હું. ૯/૯
પ્રકૃતિ પ્રસવે શ્રુષ્ટિ મારી અધ્યક્ષતા વડે;
એના કારણથી થાય જગતના પરિવર્તનો. ૧૦/૯
અવજાણે મને મૂઢો માનવી-દેહને વિષે ;
ન જાણતા પરમભાવ મારો ભૂત મહેશ્વરી. ૧૧/૯
વૃથા આશા, વૃથા કર્મો, વૃથા જ્ઞાન કુબુદ્ધીના;
રાક્ષસી આસુરી એઓ સેવે પ્રકૃતિ મોહિની. ૧૨/૯
મહાત્માઓ મને જાની ભૂતોનો આદિ અવ્યય,
અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા. ૧૩/૯
કીર્તિ મારી સદા ગાતા, યત્નવાન વ્રતે દ્રઢ ;
ભક્તિથી મુજને વંદી ઉપાસે નિત્ય યોગથી. ૧૪/૯
જ્ઞાનયગ્નેય કો ભક્તો સર્વવ્યાપી મને ભજે;
એક્ભાવે, પૃથગભાવે, બહુ રીતે ઉપાસતા. ૧૫/૯
હું છું ક્રતુ, હું છું યજ્ઞ, હું સ્વધા, હું વનસ્પતિ;
મંત્ર હું, ધૃત હું શુદ્ધ, અગ્નિ હું, હું જ આહુતિ. ૧૬/૯
હુંજ આ જગનો ધાતા, પિતા,માતા,પિતામહ;
જ્ઞેય પવિત્ર ઓમકાર, ઋગ, યજુર, સામવેદ હું. ૧૭/૯
પ્રભુ, ભર્તા , સુહ્રદ, સાક્ષી નિવાસ શરણું ગતિ;
ઉત્પત્તિ પ્રલય, સ્થાન, નિધાન બીજ અવ્યય. ૧૮/૯
તપુ હું, જળને ખેંચું, મેઘને વરસાવું હું;
અમૃત હું, હું છું મૃત્યુ, સત્ ને અસતે'ય હું. ૧૯/૯
પી સોમ નિષ્પાપ થઇ ત્રિવેદી
યજ્ઞો વડે સ્વર્ગ્નીવાસ યાચે;
ને મેળવી પુણ્ય સુરેન્દ્ર્લોક
ત્યાં દેવાના વૈભવ દિવ્ય માણે
૨૦/૯
એ ભોગવી સ્વર્ગ વિશાળ એવું
પુણ્યો ખુટયે મર્ત્ય વિષે પ્રવેશે;
સકામ એ વૈદિક કર્મ માર્ગી
આ રીત ફેરા ભાવના કરે છે.
૨૧/૯
અનન્ય ચિત્તથી જેઓ કરે મારી ઉપાસના,
તે નીત્યયુક્ત ભક્તોના યોગક્ષેમ ચલાવું હું. ૨૨/૯
તેમ જે ભક્ત શ્રદ્ધાથી ઉપાસે અન્ય દેવને,
વિધિપૂર્વક નાં તો'યે, તેઓ એ પૂજાતા મને; ૨૩/૯
કાં જે હું સર્વ યજ્ઞોનો ભોક્તા ને પ્રભુ છું વળી;
પરંતુ તે પડે, કાં જે ના જાણે તત્વથી મને. ૨૪/૯
દેવપૂજક દેવોને, પિતૃનાં પિતૃને મળે,
ભૂત પૂજક ભૂતોને, મારા ભકત મને મળે. ૨૫/૯
પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે આપે ભક્તિ થી મને
ભક્તિથી એ અપાયેલું આરોગું યત્નવાન નું. ૨૬/૯
જે કરે ભોગવે વા જે, જે હોમે દાન જે કરે,
આચરે તપને વા જે, કરે અર્પણ તે મને. ૨૭/૯
કર્મના બંધનો તોડીશ આમ સુખ દુખદા,
સન્યાસયોગથી મને પામીશ મુક્ત થઇ. ૨૮/૯
સમ હું સર્વ ભૂતોમાં વા'લા વેરી મને નથી,
પણ જે ભક્તિથી સેવે, તેમાં હું મુજ માહ્ય તે. ૨૯/૯
મોટો'યે કો દુરાચારી એકચિત્તે ભજે મને,
સાધુ જ તે થયો માનો, કા જે નિશ્ચયમાં ઠર્યો. ૩૦/૯
શીઘ્ર એ થાય ધર્માત્મા, પામે શાસ્વત શાંતિ ને,
પ્રતિજ્ઞા કરું છું મારા, ભક્તો નો નાશ ના કદી. ૩૧/૯
સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો જીવો પાપી'ય યોનીના
જો આશરો લે તો તે'ય પામે પરમ ગતિ. ૩૨/૯
પવિત્ર બ્રાહ્મણ ક્ષત્રી ભક્તની વાત શી પછી,
દુ:ખી અનિત્ય આ લોકે પામેલો ભજ તું મને. ૩૩/૯
મન-ભક્તિ મને અર્પ, મને પૂજ મને નમ,
મ'ને જ પામશે આવા યોગથી મત્પરાયણ. ૩૪/૯
શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ’જ્ઞાન નો સાર’ નામનો નવમો અધ્યાય સંપૂર્ણ