ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિચાર

અધ્યાય તેર મો

શ્રી ભગવાન બોલ્યા :

ક્ષેત્ર એ નામથી જ્ઞાની ઓળખે આ શરીરને;

ક્ષેત્રને જાણનારો જે, તેને ક્ષેત્રજ્ઞ છે કહ્યાં. ૧/૧૩

વળી મને જ ક્ષેત્રજ્ઞ જાણજે સર્વ ક્ષેત્રમાં,

ક્ષેત્રક્ષેત્રજ્ઞનું જ્ઞાન, તેને હું જ્ઞાન માનું છું. ૨/૧૩

જે તે ક્ષેત્ર, તથા જેવું, જ્યાંથી એમાં વિકાર જે,

ક્ષેત્રજ્ઞ જે અને જેવો, સંક્ષેપે સુણ તે કહું. ૩/૧૩

વિવિધ મંત્રથી ગાયું ઋષિઓએ અનેક્ધા

ઠરાવ્યું બ્રહ્મ્સૂત્રોમાં સુનિશ્ચિત પ્રમાણથી. ૪/૧૩

મહાભૂતો, અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ - આઠ એ;

ઇન્દ્રિયો દસ ને એક, વિષયો પાંચ એમના; ૫/૧૩

ઈચ્છા, દ્વેષ, સુખોદુ:ખો, ધૃતિ, સંઘાત, ચેતના;

વિકારો સાત આ, ક્ષેત્ર તને સંક્ષેપમાં કહ્યું. ૬/૧૩

નિર્માનતા, અહિંસા, ને અદંભ, આર્જવ ક્ષમા

ગુરુભક્તિ તથા શૌચ, સ્થિરતા, આત્મનિગ્રહ. ૭/૧૩

વિષયો પ્રતિ વૈરાગ્ય, નિરહંકારતા તથા;

જન્મ મૃત્યુ જરા વ્યાધી દુખ દોષોનું દર્શન, ૮/૧૩

નિર્મોહતા અનાસક્તિ, પુત્ર-પત્ની ગૃહાદિમાં;

સારા માઠા પ્રસંગોમાં ચિત્તની સમતા સદા, ૯/૧૩

અનન્ય યોગથી મારી ભક્તિ અવ્યભીચારીણી;

એકાંતવાસમાં પ્રેમ, ન ગમે ડાયરા વિષે, ૧૦/૧૩

અધ્યાત્મજ્ઞાનમાં નિષ્ઠા, તત્વજ્ઞાન વિચારણા,

આ લક્ષણે કહે જ્ઞાન, એથી અજ્ઞાન ઉલટું. ૧૧/૧૩

હવે હું વર્ણવું જ્ઞેય જે જાણે મુક્તિ ભોગવે;

અનાદી એ પરબ્રહ્મ છે, ન કહેવાય, જ્ઞાન થી. ૧૨/૧૩

સર્વત્ર હાથ ને પાય, સર્વત્ર શિર ને મુખ;

સર્વત્ર આંખ ને કાન, સર્વને આવરી રહ્યું; ૧૩/૧૩

નીરીન્દ્રીય છતાં ભાસે, સર્વ ઇન્દ્રિયના ગુણો ;

નીર્ગુણી, ગુણ ભોક્તાએ ભર્તા તોય આસક્તએ. ૧૪/૧૩

બહાર માં'ય ભૂતોની ચાલતું ને અચંચળ;

સુક્ષ્મ તેથી જણાય નાં, સમીપે દૂર માં વળી; ૧૫/૧૩

અખંડ તોય ભૂતોમાં જાણે ને ખંડપણે રહ્યું,

ભૂતોને જન્મ દે પોષે, ગળે એ તેમ જ્ઞેય એ ૧૬/૧૩

જ્યોતીઓનું ય એ જ્યોતિ, પર એ અંધકારથી

જ્ઞાન, જ્ઞેય, જ્ઞાનગમ્ય, સર્વના હૃદયે વસ્યું. ૧૭/૧૩

ક્ષેત્ર, જ્ઞાન તથા જ્ઞેય, આમ સંક્ષેપમાં કહ્યા;

મારો જે ભક્ત આ જાણે, તે પામે મુજ ભાવને. ૧૮/૧૩

બંને અનાદી છે જાણ પ્રકૃતિ તેમ પુરુષ;

પ્રકૃતિથી થતા જાણ, વિકારોને ગુણો બધા. ૧૯/૧૩

કાર્ય, કારણ, કર્તૃત્વ, એ સૌ પ્રકૃતિ કારણે,

સુખ-દુખ તણા ભોગ, તેતો પુરુષ કારણે. ૨૦/૧૩

પ્રકૃતિમાં રહ્યે સેવે પ્રકૃતીગુણ પુરુષ;

આસક્તિ ગુણમાં તેથી સદ-સદ યોનીમાં પડે. ૨૧/૧૩

સાક્ષી માત્ર અનુંજ્ઞાતા, ભર્તા ભોક્તા મહેશ્વર;

કહ્યો તે પરમાત્માએ દેહે પુરુષ જે પર. ૨૨/૧૩

જાણે પુરુષ જે આમ, પ્રકૃતિએ ગુણોસહ:

સર્વે કર્મો કરે તોયે, તે ફરી જન્મતો નથી. ૨૩/૧૩

ધ્યાનથી આપને કોઈ આપથી આપમાં જુએ,

સાંખ્યયોગ વડે કોઈ, કોઇ તો કર્મ યોગ થી. ૨૪/૧૩

ને કો ન જાણતા આમ અન્યથી સૂણી ને ભજે

શ્રવણે રાખતા શ્રદ્ધા, તોયે મૃત્યુને તરે. ૨૫/૧૩

જે કાઇ ઉપજે લોકે, સત્વ સ્થાવર જંગમ;

ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનાં યોગે, જાણ તે ઉપજે બધું. ૨૬/૧૩

સમાન સર્વ ભૂતોમાં રહેલા પરમેશ્વર,

અવિનાશી વિનાશીમાં, એ દેખે તે જ દેખાતો. ૨૭/૧૩

સમ સર્વત્ર વ્યાપેલા ઈશને દેખાનાર એ,

હણે આપથી આપ, તેથી પામે પરંગતિ.૨૮/ ૧૩

પ્રકૃતિથી જ સૌ કર્મો, સદા સર્વત્ર થાય છે,

આત્મા તો ન કરે કાંઈ; આ દેખે તે જ દેખાતો. ૨૯/૧૩

ભૂતોના વેગળા ભાવ એકમાં જ રહ્યા જુએ,

તેથી જ સર્વ વિસ્તાર; ત્યારે બ્રહ્મદશા મળે.૩૦/૧૩

અવ્યયી પરમાત્માને નથી આદિ, નથી ગુણો

તેથી દેહે રહે તોયે એ અકર્તા અલિપ્ત રહે. ૩૧/૧૩

સૂક્ષ્મતા કારણે વ્યોમ સર્વવ્યાપી અલિપ્ત રહે,

આત્માએ તેમ સર્વત્ર વસી દેહે અલિપ્ત રહે. ૩૨/૧૩

પ્રકાશે એકલો સૂર્ય જેમ આ જગને બધા,

ક્ષેત્રજ્ઞેય પ્રકાશે છે તેમ આ ક્ષેત્રને બધા. ૩૩/૧૩

ક્ષેત્રક્ષેત્રજ્ઞ નો ભેદ જે જાણે જ્ઞાન-ચક્ષુથી

ભૂત-પ્રકૃતિ મોક્ષે, તે પામે છે પરંગતિ. ૩૪/૧૩

શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ભક્તિ તત્વ' નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ