દુ:ખ નું આગમન એ માત્ર પરિસ્થિતિ નો ફેરફાર જ છે.
દુ:ખી થવાનો અર્થ છે કે આપણે 'પરિવર્તનશીલતા'ના વૈશ્વિક નિયમનો
વિરોધ કરીએ છીએ. જ્યાં સુધી આપણે આ વિરોધ ચાલુ રાખીશું
એટલે કે બદલાએલા સંજોગોને અનુરૂપ બદલાઈશું નહીં
ત્યાં સુધી પીડા ની અવધી કાળ ને આધીન રહેશે.
આમ દુ:ખની અવધી કેટલી રાખવી તે આપણા જ હાથ માં છે.
દુ:ખમા પીડાવું એ આપણા તરફથી દુ:ખ માં વધારો કરવા જેવું છે.