વાક્ય રચના
વાક્ય રચના
કર્તરી - કર્મણી વાક્યની રચના
કર્તરી વાક્યની રચનામાં કર્તાની પ્રધાનતા હોય છે.
કર્તરી વાક્ય રચનામાં કર્તાના લીંગ , વચન મુજબ પ્રત્યય લગાડવામાં આવે છે.
કર્તાને થી , વડે , દ્વારા પ્રત્યય લાગે છે.
ઉદા.
કર્તરી :- બા માથુ ઓળે છે.
કર્મણી :- બા થી માથુ ઓળાય છે.
કર્તરી :- હું ગીત ગાઈશ.
કર્મણી :- મારાથી ગીત ગવાશે.
કર્તરી કર્મણી
પોલીસે ચોર પકડ્યો. > પોલીસ દ્વારા ચોર પકડાયો
માણસ મનસૂબા ઘડે છે. > માણસથી મનસૂબા ઘડાય છે.
હું સ્વપ્ન રચવા બેસી જાઉ છુ. > મારાથી સ્વપ્ન રચવા બેસી જવાય છે.
એનું નામ હું ભુલી ગયો છુ. > એનુ નામ મારાથી ભુલાય જવાયું છે.
તમે તમારા જુના માળા છોડી દો > તમારાથી તમારા જુના માળા છોડી દેવાય.
અમે કુવામાંથી પાણી ભરી લાવતા > અમારાથી કુવામાંથી પાણી ભરી લવાતું.
કર્મણી માંથી કર્તરી :-
કર્મણી વાક્યમાં કર્મની પ્રધાનતા હોય છે.
કર્મણી વાક્યમાંથી કર્તરીમાં રુપાંતર કરતી વખતે કર્તાને લાગેલા પ્રત્યય - થી , વડે , દ્વારા દુર કરવામાં આવે છે.
ઉદા.
રમીલાબેનથી ચા ની આદત છૂટી - કર્મણી
રમીલાબેનએ ચાની આદત છોડી. - કર્તરી
ભાવે વાક્ય રચના :-
ભાવે વાક્ય રચનામાં ક્રિયાપદની પ્રધાનતા હોય છે.
ભાવે વાક્ય રચના અકર્મક હોય છે. (કર્મ હોતો નથી.)
ભાવે વાક્યમાં થી , વડે , દ્વારા , જેવાં પ્રત્યયો લગાડી ભાવની પ્રધાનતા બતાવાય છે.
કર્તરી ભાવે
માજીએ માથે ઓઢ્યું. > માજીથી માથે ઓઢાયું.
અમે રાજી થઈ ગયા. > અમારાથી રાજી થઈ જવાયું.
શિવમ વિચારમાં પડી ગયો. > શિવમથી વિચારમાં પડી જવાયું.
મેં જોરથી બૂમ પાડી. > મારાથી જોરથી બૂમ પડાઈ.
સુનિલ એકાએક હસી પડ્યો. > સુનિલથી એકાએક હસી પડાયું.
હું ખૂબ રડ્યો. > મારાથી ખૂબ રડાયું.
એવામાં કાશીમાંં દોડતી આવી > એવામાં કાશીમાંથી દોડતાં અવાયું.
ભાવે કર્તરી
બાળકોને મતા-પિતાને પૂછાતું નથી. > બાળકો મતા-પિતાને પૂછતાં નથી.
એકા એક એનાથી જોઈ લેવાયું. > એકાએક એણે પાછળ જોઈ લીધું.
તરંગ પર લહેરાતાં જાતાં મારાથી નિરાંતે પોઢાય. > તરંગ પર લહેરાતો જાતો હું નિરાંંતે પોઢું.
વિધાન વાક્ય :-
જે વાક્યમાં કોઈ હકીકત , ઘટના કે સ્થિતિનુંં સીધું કથન રજુ થતુ હોય તેને.
હકાર ભાવ દર્શાવે છે.
ઉદા.
સત્યના રસ્તે ચાલવું વધુ આવકાર્ય છે.
હાઈકુ કાવ્ય પ્રકાર 5-7-5 એમ ત્રણ પંક્તિનું ચોક્કસ બંધારણ છે.
પ્રશ્નાર્થ વાક્ય :-
જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તેને.
ઉદા.
તમે સાંજે ઘરે જવાના છો ?
ઉદ્દગાર વાક્ય :-
જે વાક્યમાં હર્ષ , શોક , ક્રોધ , ઉત્સાહ , ધ્રુણા , વિસ્મય , આશ્ચર્ય , વગેરે ભાવો દર્શાવવામાં આવ્યા હોય.
ઉદા.
અરે ! એ વૃક્ષ તો કપાઈ ગયું.
નિષેધ વાક્ય :- નકાર વાક્ય
ન કરવાનો , ન થવાનો કે ન થયાનો ભાવ રજુ થાય.
ઉદા.
મોરનાં ઈંડા ચીતરવા ન પડે.
જીભને તે હાડકું ન હોય.