તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભારતમાં અંદાજે દર ૧૦૦ વ્યક્તિએ, એક વ્યક્તિને આ બિમારી છે, કે જેમાં દર્દી બેભાન થઇ જાય છે, શરીર જકડાઈ જાય છે, ઝટકા આવે છે અથવા અચાનક થોડી સેકન્ડો માટે સ્તબ્ધ થઇ જાય છે. યોગ્ય તબીબી સારવાર અને પરીસ્થિતિની જાગરૂકતાથી, એપિલેપ્સીના દર્દી માટે સફળ અને સ્વસ્થ જીવન જીવવું શક્ય બનાવી શકાય છે.