“ ડિમેન્શિયા” શબ્દ યાદશક્તિ ખોવી, સમસ્યાઓ ઉકેલતી વખતે મુશ્કેલીઓ અનુભવવી અને મનોભાવ, દ્રષ્ટિ અથવા વર્તનમાં ફેરફાર જેવા લક્ષણોના સમુહનું વર્ણન કરે છે. ૬૫ વર્ષથી વધુ ઉમર ધરાવતા લોકોમાં ૧૪માંથી એકને, જયારે ૮૦ થી વધુ ઉમરના લોકોમાં છમાંથી એકને ડિમેન્શિયા હોય છે. અલ્ઝાઇમર રોગ એ ડિમેન્શિયાનો સૌથી સામાન્ય પ્રકાર છે, કે જે ડિમેન્શિયાના ૬૦ થી ૮૦ ટકા કિસ્સા માટે કારણભૂત હોય છે.
સમયસર નિદાન અને યોગ્ય સારવારથી યાદદાસ્તના રોગોને ખણાખરા અંશે નિયંત્રિત રાખી શકાય છે.