કોઈ પણ માસ ની 7, 16 કે 25 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂલાંક 7 થાય છે.

જેમની જન્મતારીખ, માસ તથા વર્ષ નો સરવાળો 7 થાય તેમનો ભાગ્યાંક 7 થાય છે.

જેમના પુરા નામ ના સ્પેલિંગ ઉપરથી નીકળેલ જીવન પથ અંક ૭ થતો હોય

અંક સાત (૭) ની લાક્ષણિકતા :

અંક ૭ કેતુ નો માનવામાં આવે છે તેથી કેતુ ના ગુણધર્મો આ અંકમાં પણ જોવા મળે છે. અંક સાત ના સકારાત્મક ગુણ નીચે પ્રમાણે જોવા મળે છે :-

* આધ્યાત્મ જિજ્ઞાસા * અલિપ્ત અને એકાંત સાધના * યોગ અને ગૂઢ વિષયોમાં સંશોધન * લોક-પરલોક ના વિશિષ્ટ અનુભવો * બ્રહ્મ દશા * સુશુમણા નાડીમાં જીવનારા * નાદ સાંભળનારા * તત્વ ઉપાસક * નિરાકાર ઈશ્વર ને મહેસૂસ કરનાર * કોઈ પણ બાબતની સુક્ષ્મ છણાવટ કરી જાણનાર * ઘટનાના મૂળ કારણ સુધી પહોંચનાર * પોતાની આગવી અલૌકિક આભા ધરાવનાર

જે વ્યવસાયમાં ઉપરોક્ત ગુણ જરૂરી અને આવકાર્ય હોય ત્યાં અંક સાત પ્રાધાન્યતા ધરાવતા જાતકો વધુ સફળ થાય છે.જે વ્યક્તિ નો મૂલાંક અથવા ભાગ્યાંક સાત (૭) થતો હોય તેવી વ્યક્તિઓ માટે આ વ્યવસાય લાભકારક ગણાય છે :-

* લૌકિક રીતે જોઈએ તો - અન્વેષક * રીસર્ચ * જાસુસી * અવકાશ વૈજ્ઞાનિક * પુરાતત્વ * મ્યુઝીયમ * સાંપ્રદાયિક કે આધ્યાત્મિક સંસ્થાઓ * કાઉન્સેલીંગ * આત્મિક માર્ગદર્શક

અંક ૭ ના જાતકોકમાં ક્યારેક નીચેની મર્યાદાઓ જોવા મળે છે :-

* રોજીંદા જીવનમાં નીરસ * ઉદાસીન * સોગીયા વૃત્તિ * વહેમી * અંધ-વિશ્વાસ * વાતોના વડા કરનાર * માનસિક અસ્થિરતા * વિચિત્ર ફોબિયા * ભૂત-પ્રેત પીડા * પોતાનામાં જ મસ્ત રહે અન્યની પરવા ન કરે * અંગત સંબંધોમાં નિષ્ફળ * વણમાગી સલાહ આપતા રહેવાની ટેવ

અંક ૭ નો રંગ બદામી છે. કેટ્સ આઈ નું નંગ ધારણ કરવાથી ૭ ના અંકને સપોર્ટ મળે છે. જેમના માટે અંક ૭ શત્રુ બનતો હોય તેમણે પુજારી કે ધાર્મિક વ્યક્તિઓ ને કષ્ટ આપવું નહિ. ઉપાય તરીકે આધ્યાત્મિક જીવન બનાવવા કોશિશ કરવી .

જેમનો મૂલાંક કે ભાગ્યાંક ૭ હોય તેમના માટે અંક ૧ અને ૯ શત્રુ બને છે તેથી આ અંક વાળા ક્ષેત્ર, રંગ, વાહન, મિત્ર વગેરેથી સાવચેત રહેવું.

દરેક અંક માટેની માહિતી જાણવા માટે આ વેબપેજ ની બોટમ માં આપેલ લીંક ઉપયોગી થશે.

અંક-જ્યોતિષ નો ઉપયોગ કરી તમે જીવનને વધુ સાર્થક બનાવી શકો છો. આ માટે તમારે માત્ર આટલુંજ કરવાનું છે :-

  • મૂલાંક, ભાગ્યાંક અને જીવન પથ અંક જાણીલો

  • તમારા અંકો ની મર્યાદાઓ ને સમજી લો

  • તમારા અંક પરસ્પર પૂરક છે કે વિરોધી ?

  • તમારા અંકોના મિત્ર અંકો નો લાભ મેળવો - શત્રુ અંકોથી સાવધાન રહો

  • તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તે તમારા મૂલાંક અને ભાગ્યાંકના શત્રુ અંકનં ક્ષેત્ર તો નથી ને ?

  • તમે જે રંગ વધુ વાપરો છો તે તમારા અંકના શત્રુ અંકનો રંગ તો નથી ને ?

  • તમે તમારી જન્મ તારીખ તો બદલી શકતા નથી પણ જો જરૂરત પડે નામ બદલવા તૈયાર હોવ તો નામમાં જરૂરી ફેરફાર માટે નિશુલ્ક માર્ગદર્શન મેળવવા સંપર્ક કરી શકો છો :

તમારો મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક શોધવા અહી ક્લીક કરો

તમારો નામાંક/ જીવન પથ-અંક શોધવા અહી ક્લીક કરો

મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક