કોઈ પણ માસ ની ૩, ૨૧ કે ૩૦ તારીખે જન્મેલ વ્યક્તિનો મૂલાંક ૩ થાય છે.
જેમની જન્મતારીખ, માસ તથા વર્ષ નો સરવાળો ૩ થાય તેમનો ભાગ્યાંક ૩ થાય છે.
અંક ત્રણ (૩) ની લાક્ષણિકતા :
અંક ૩ ગુરુ નો માનવામાં આવે છે તેથી ગુરુ ના ગુણધર્મો આ અંકમાં પણ જોવા મળે છ.
અંક ત્રણ ના સકારાત્મક ગુણ નીચે પ્રમાણે જોવા મળે છે :-
* નીતિવાન * આધ્યાત્મિક * ધાર્મિક
* સકારાત્મક * ક્રિયાશીલ * પ્રોત્સાહક
* પ્રેરક * મુલ્ય-નિષ્ઠ * ન્યાયપ્રિય * રમુજી
જે વ્યવસાયમાં ઉપરોક્ત ગુણ જરૂરી અને આવકાર્ય હોય ત્યાં અંક એક પ્રાધાન્યતા ધરાવતા જાતકો વધુ સફળ થાય છે. જેમકે :
* શિક્ષક * પંડિત * પ્રવચક * વકીલ કે ન્યાયાધીશ * તબીબ * માર્ગદર્શક * ગુરુ * લેખક * પ્રકાશક * નિર્દેશક
અંક ૩ ના જાતકોમાં નીચે આપેલ મર્યાદાઓ જોવા મળે છે :-
* વધુપડતા સરળ * વાચાળ * રણનીતિ કે કૂટનીતિ માં પછાત * એકાગ્રતાનો અભાવ * યોજનાબદ્ધ કામ કરવામાં નિષ્ફળ * દંભી * શિસ્તનો અભાવ * લક્ષ્ય ને ભૂલી જનાર
અંક ૩ નો રંગ કેસરી છે અને પોંખરાજરાજ નં નંગ ધારણ કરવાથી ૩ ના અંકને સપોર્ટ મળે છે. જેમના માટે અંક ૩ શત્રુ બનતો હોય તેમણે બ્રાહ્મણ, શિક્ષક, ગુરુ, વિદ્વાન અધિકારી વર્ગથી દુશ્મની કરવી નહિ. પોતાના કુલગુરુ (ગોર) ને પ્રસંગોપાત રાજી કરી આશીર્વાદ લેવા. ઉપાય તરીકે શ્રી ગણેશજી ની સ્તુતિ પૂજા કરવી.
જેમનો મૂલાંક કે ભાગ્યાંક ૩ હોય તેમના માટે અંક ૪ અને ૮ શત્રુ બને છે તેથી આ અંક વાળા ક્ષેત્ર, રંગ, વાહન, મિત્ર વગેરેથી સાવચેત રહેવું. દરેક અંક માટેની માહિતી જાણવા માટે આ વેબપેજ ની બોટમ માં આપેલ લીંક ઉપયોગી થશે.
અંક-જ્યોતિષ નો ઉપયોગ કરી તમે જીવનને વધુ સાર્થક બનાવી શકો છો. આ માટે તમારે માત્ર આટલુંજ કરવાનું છે :-
મૂલાંક, ભાગ્યાંક અને જીવન પથ અંક જાણીલો
તમારા અંકો ની મર્યાદાઓ ને સમજી લો
તમારા અંક પરસ્પર પૂરક છે કે વિરોધી ?
તમારા અંકોના મિત્ર અંકો નો લાભ મેળવો - શત્રુ અંકોથી સાવધાન રહો
તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તે તમારા મૂલાંક અને ભાગ્યાંકના શત્રુ અંકનં ક્ષેત્ર તો નથી ને ?
તમે જે રંગ વધુ વાપરો છો તે તમારા અંકના શત્રુ અંકનો રંગ તો નથી ને ?
તમે તમારી જન્મ તારીખ તો બદલી શકતા નથી પણ જો જરૂરત પડે નામ બદલવા તૈયાર હોવ તો નામમાં જરૂરી ફેરફાર માટે નિશુલ્ક માર્ગદર્શન મેળવવા સંપર્ક કરી શકો છો :
તમારો મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક શોધવા અહી ક્લીક કરો
તમારો નામાંક/ જીવન પથ-અંક શોધવા અહી ક્લીક કરો