કોઈ પણ માસ ની 4, 13, 22, કે 31 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂલાંક 4 થાય છે.
જેમની જન્મતારીખ, માસ તથા વર્ષ નો સરવાળો 4 થાય તેમનો ભાગ્યાંક 4 થાય છે.
અંક ચાર (૪) ની લાક્ષણિકતા :
અંક ૪ રાહુ નો માનવામાં આવે છે તેથી રાહુ ના ગુણધર્મો આ અંકમાં પણ જોવા મળે છે .
અંક ચાર ના સકારાત્મક ગુણ નીચે પ્રમાણે જોવા મળે છે :-
* દરેક કામ બારીકીથી કરે * ચોકસાઈ * શિસ્તબદ્ધ * વ્યવસ્થાના આગ્રહી * ભરોસા પાત્ર * યથાર્થતા વાદી * સુઘડ સમયપાલન માં માનનાર
જે વ્યવસાયમાં ઉપરોક્ત ગુણ જરૂરી અને આવકાર્ય હોય ત્યાં અંક ચાર (૪) ની પ્રાધાન્યતા ધરાવતા જાતકો વધુ સફળ થાય છે. જે વ્યક્તિ નો મૂલાંક અથવા ભાગ્યાંક ૪ (૪) થતો હોય તેવી વ્યક્તિઓ માટે આ વ્યવસાય લાભકારક ગણાય છે :-
* ઈજનેર * ફ્લોર મેનેજર * લાઈબ્રેરિયન * વ્યવસ્થાપક * એડમીનીસ્ટ્રેટર * લેબ મેનેજર * વૈજ્ઞાનિક * એકાઉન્ટટ
અંક ચાર ના જાતકોમાં નીચે આપેલ મર્યાદાઓ જોવા મળે છે :-
* જડ * શિસ્તના દુરાગ્રહી * ઝીણું કાંતવા જતા જીવન ની મઝા ગુમાવી દે * અન્યની લાગણી પ્રત્યે દૂર્લક્ષ * અન્યની દક્ષતામાં અવિશ્વાસ * પૂર્વગ્રહ થી પીડાય
અંક ૪ નો રંગ કાળો છે અને ગોમેદ નંગ ધારણ કરવાથી ૪ ના અંકને સપોર્ટ મળે છે. જેમના માટે અંક ૪ શત્રુ બનતો હોય તેમણે વડીલ તથા પૂર્વજ નં સન્માન કરવું. ઉપાય તરીકે શ્રી ગણેશજી તથા ભૈરવ ની સ્તુતિ પૂજા કરવી.
જેમનો મૂલાંક કે ભાગ્યાંક ૪ હોય તેમના માટે અંક ૩ અને ૫ શત્રુ બને છે તેથી આ અંક વાળા ક્ષેત્ર, રંગ, વાહન, મિત્ર વગેરેથી સાવચેત રહેવું.
દરેક અંક માટેની માહિતી જાણવા માટે આ વેબપેજ ની બોટમ માં આપેલ લીંક ઉપયોગી થશે.
અંક-જ્યોતિષ નો ઉપયોગ કરી તમે જીવનને વધુ સાર્થક બનાવી શકો છો. આ માટે તમારે માત્ર આટલુંજ કરવાનું છે :-
મૂલાંક, ભાગ્યાંક અને જીવન પથ અંક જાણીલો
તમારા અંકો ની મર્યાદાઓ ને સમજી લો
તમારા અંક પરસ્પર પૂરક છે કે વિરોધી ?
તમારા અંકોના મિત્ર અંકો નો લાભ મેળવો - શત્રુ અંકોથી સાવધાન રહો
તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તે તમારા મૂલાંક અને ભાગ્યાંકના શત્રુ અંકનં ક્ષેત્ર તો નથી ને ?
તમે જે રંગ વધુ વાપરો છો તે તમારા અંકના શત્રુ અંકનો રંગ તો નથી ને ?
તમે તમારી જન્મ તારીખ તો બદલી શકતા નથી પણ જો જરૂરત પડે નામ બદલવા તૈયાર હોવ તો નામમાં જરૂરી ફેરફાર માટે નિશુલ્ક માર્ગદર્શન મેળવવા સંપર્ક કરી શકો છો :
તમારો મૂલાંક - ભાગ્યાંક - વર્ષ-આંક શોધવા અહી ક્લીક કરો
તમારો નામાંક/ જીવન પથ-અંક શોધવા અહી ક્લીક કરો