આ વેબ-સાઈટ નો ઉપયોગ અહીં સુચવેલ રીત મુજબ કરવામાં આવશે તો તેનો મહત્તમ લાભ મેળવી શકાશે.

1. સૌ પ્રથમ વેબ-સાઈટ નો માર્ગદર્શક નકશો જુઓ. આમ કરવાથી પૂરી પ્રક્રિયાનં વિહંગાવલોકન થઇ જશે.

2. આ વેબ-સાઈટ બનાવવાનો ઉદ્દેશ્ય સમજવો.

3. ત્યાર બાદ વિષય અનુક્રમણિકા ને અનુસરો. દરેક વિષયના નામ ઉપર ક્લિક કરવાથી જેતે વિષયના પેજ ઉપર જઈ શકાશે. વિષયનો ક્રમ તાર્કિક રીતે તૈયાર કરાયો છે જે અનુસરવાથી આગળ પાછળ જવું પડશે નહિ.

4. દરેક પેજ ઉપર વિષય રજૂઆત માં વાપરેલ ખાસ શબ્દ પ્રયોગ ઉપર ક્લિક કરવાની સુવિધા કરેલ છે. તે શબ્દ ઉપર ક્લિક કરી તેની સમજુતી મેળવી શકશો

5.દરેક પેજ ઉપર જેતે વિષય ને અનુલક્ષીને આગળ અને પાછળના પેજ ઉપર જવામાટે વ્યવસ્થા છે.

6. લેખ વાંચતા સાથે સાથે જે તે સિદ્ધાંત પોતાની જિંદગીમાં અનુભવ્યો છે કે કેમ તે વિષે મનો-મંથન કરવું જરૂરી છે.

7. જે વિષય વાંચવામાં કોઈ બાબતે સંશય થાય અથવા કાઈ સુચન કરવાનું મન થાય તો 'પ્રશ્ન ' પૂછવાની સગવડ નો ઉપયોગ કરી સંવાદ કરી શકશો.

8. આધ્યાત્મિક શબ્દો જુદા જુદા લોકો જુદી જુદી રીતે સમજતા હોય છે. અહી જે તે શબ્દો કયા અર્થમાં વાપરવામાં આવેલ છે તે સમજુતીમાં જોઈ લેવું.

9. આધ્યાત્મિક જાગૃતિ કેળવવા માટે કેટલીક યુક્તિ (techniques) અહી બતાવવામાં આવશે તેનો ઉપયોગ કરવો અને તમારો અનુભવ જણાવશો તો અન્યને પણ ઉપયોગી થશે.

10. દરેક લેખ વાંચતી વખત જે તે બાબત આખી પ્રક્રિયાના એક ભાગ રૂપે કેવી રીતે પ્રસ્તુત થાય છે તે સમજવું. ટુકડામાં અલાયદો અર્થ કાઢવાનો પ્રયાસ કરવો નહીં.

11. આ સાઈટ વખતો વખત અપડેટ થતી રહેછે તેથી અવાર-નવાર મુલાકાત લેતા રહેવું.