આપણા અસ્તિત્વને સંપૂર્ણ પણે જાણવા માટે એ જાણવું જરૂરી બની જાય છે કે ભૌતિક શરીર છોડયા પછી આપણી

ચેતનાનું શું થાય છે? આ બાબતે આપણાં શાસ્ત્રોમાં શું કહેવાયું છે? તેની સાથે પાશ્ચાત્ય વિદ્વાનો શું કહેછે ? તે વિષે તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળે તે માટે અહી એક નાનો પ્રયાસ કરેલ છે. આપણાં શાસ્ત્રોમાં ખાસ કરીને મૃત્યુ પછી ની અવસ્થા વિષે ગરુડ પુરાણ વધુ પ્રચલિત હોવાથી અહીં તુલના માટે તેને પસંદ કરેલ છે.

શાસ્ત્રો નો અભિપ્રાય

બૃહદારણ્યક ઉપનિષદ

મૃત્યુ પછી પુરુષ (ચેતના) વાયુમાં રથના પૈડા જેવા નળાકાર બોગદા જેવા માર્ગે ઉર્ધ્વ ગતિ કરી સૂર્ય અને ચંદ્ર લોક પસાર કરી એક એવા આયામમાં પહોંચે છે જ્યાં દૂખ કે ઠંડી નથી હોતા.

પાશ્ચાત્ય વિદ્વાનો નો અભિપ્રાય

(based on 'Journey of Souls)

  • મૃત્યુ બાદ આત્મા શરીરને ધરતી પર છોડી આકાશમાં ચાલ્યો જાયછે .
  • પૃથ્વીનું અસ્ટ્રાલ પ્લેન છોડતા સુધીમાં એક ટનલ માંથી પસાર થવાનો અનુભવ મોટે ભાગે ઘણાને થાય છે.
  • થોડીજ વારમાં અસ્તિત્વના નવા આયામ ઉપર - આત્મિક આયામ(Sprit Plane) પર પહોંચી જવાય છે.
  • અગાઉ મૃત્યુ પામેલ સ્નેહી આત્માઓ અને આત્મિક ગાઈડ અહી આવી મળેછે.
  • આત્મા પોતાના એક સ્વરૂપને spirit વર્લ્ડમાં રાખીને જુદા જુદા અંશ દ્વારા જુદા જુદા આયામો ઉપર એક સાથે એકજ સમયે કાર્ય કરી શકે છે. આ રહસ્યમય ક્ષમતા ને કારણે અગાઉં મૃત્યુ પામેલ સ્નેહીઓ બીજે ક્યાયક જન્મ લઇ ચુક્યા હોય તેમ છતાં તેમનું એક સ્વરૂપ અહી મળી શકે છે.
  • કોઈને ઈશ્વર કે દેવતાની આકૃતિ મળતી નથી.
  • સ્પીરીટ વલ્ડ માં હવે આત્મા પોતાને માનવ તરીકે અનુભવતો નથી. સગા સ્નેહીઓ ના વિયોગમાં દૂખી થતો નથી.
  • છેલ્લી જિંદગીના અનુભવો બાબત કોઈ બળાપો હોય તો
  • અહીં આત્મા પ્રેમાળ આત્મિક માર્ગદર્શક પાસે ઉભરો ઠાલવે છે અને હળવાશ અનુભવે છે.
  • ઈરાદા પૂર્વક અને ભૂલથી બીજાઓને પહોંચાડેલ દૂખ બાબતે વિશ્લેષણ થાય છે.
  • ઈરાદા પૂર્વક દુષ્કર્મ કરનાર આત્માઓને ICU જેવા સ્થાન ઉપર અલાયદા રખાય છે અને તેમના આત્માની ઉર્જાને રીમોડેલ કરવામાં આવે છે અને તેમણે જેવા દુષ્કર્મ કર્યા હતા તેવા દુશ્કાર્મોનો તેઓ ભોગ બને તેવી જિંદગી જીવવા તેઓનો ફરી જન્મ થાય છે. પરંતુ આ કોઈ સજા કે પ્રાયશ્ચિત નથી - માત્ર કાર્મિક વિકાસ અર્થે આવું કરાય છે.
  • ફરી ફરી દુષ્કર્મ કરનાર ને બહુ લાંબો સમય ICU માં રાખવામાં આવે છે.
  • અહીં કોઈ નર્ક જેવું સ્થાન નથી.
  • જેઓ છેલ્લા જીવનના અનુભવો થી ખુબ થાકી ગયા હોય અને આત્મિક માર્ગદર્શકની મદદ મળવા છતાં જેમની આત્મિક ઉર્જા જોમવંત ના થઇ હોય તેઓ આત્મિક સાથીઓના ગ્રુપમાં જવા પહેલા એકાંતમાં આરામ કરે છે.
  • આત્મિક સાથીઓ નવાગંતુક આત્માનું ઉષ્માભેર સ્વાગત કરે છે. જુના સાથીઓ છેલ્લે જે સ્વરૂપે મળ્યા હોય તે સ્વરૂપમાં મળે છે.
  • આત્મિક મિત્રોના ગ્રુપમાં આશરે ૧૫-૨૦ સભ્યો હોય છે કેટલીક વાર બીજા ગ્રુપના આત્માઓ પણ અરસ-પરસ મળે છે.
  • એક આત્મિક મિત્ર ગ્રુપમાં બધા સભ્યોનો આત્મિક વિકાસ લગભગ સમાન કક્ષાનો હોય છે.
  • કેટલીક વાર એકાદ અવગુણ દૂર કરવાનું શીખવામાં 4 હજાર વરસ લાગી જાયછે.
  • આત્માઓની વ્યક્તિગત ક્ષમતા અને નબળાઈ હોવા છતાં એક બીજા સાથે જીવન તમામ પાસાઓના અનુભવો ઉપર ચર્ચા વિચારણા કરી તેમાંથી પદાર્થપાઠ લેવામાં એકબીજાને મદદરૂપ બને છે.
  • ઘણા જન્મોના અનુભવથી જુદા જુદા ગુણ બાબતે આત્માની પ્રવીણતા વધતી જાય છે અને તે મુજબ તેનો રંગ બદલાય છે.
  • પ્રમાણમાં યુવા આત્માને સફેદ રંગની આભા હોય છે જે વિકાસના તબક્કાઓ મુજબ રંગ ઘાટા થઈ ને પીળો, નારંગી, પીળો, લીલો અને છેવટે વાદળી થાય છે. દરેકમાં બીજા ગુણ મુજબ અન્ય રંગના અંશ પણ જોવા મળે છે.
  • વિકાસના છઠઠ્ઠા તબક્કામાં આત્મા માસ્ટર શ્રેણી માં હોય ત્યારે ગાઢો વાદળી રંગ ધારણ કરે છે.
  • જોકે spirit વર્લ્ડમાં કોઈને નાના તરીકે જોવામાં આવતા નથી.
  • આપણે સહુ હાલમાં જે કક્ષાએ છીએ ત્યાંથી ઉચ્ચ જવા પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ.
  • સ્પીરીટ વર્લ્ડ માં શ્રેણીઓ હોય છે પરંતુ ત્યાં ઉમદા સહ્રદયતા અને સંવાદિતા જોવા મળે છે - દુન્વયી વ્યવસ્થામાં જોવા મળે તેવી ઉચ્ચ અધિકાર અને શ્રેષ્ઠતા નું ગુમાન ત્યાં હોતું નથી.
  • અહીં દરેકને પોતપોતાની પસંદગી ની સ્વતંત્રતા કાયમ મળે છે - વ્યક્તિગત ક્ષમતાનાં આદર સાથે જવાબદારીઓ નક્કી થાય છે અધિકાર કે વધુ સક્ષમ હોવાની ગુરુતા ગ્રંથી થી નહીં.
  • સરળ કે કઠીન પાઠ શીખવા અંગે દરેક આત્માને પોતાની ઈચ્છા મુજબ જન્મ લેવાની સ્વતંત્રતા હોય છે - spirit વર્લ્ડમાં આરામ કરવો હોય તો તે પણ છૂટ હોય છે - નવો જન્મ લેવા કે આત્મિક મિત્રોના ગ્રુપની કોઈ યોજનામાં ભાગ લેવા કોઈ દબાણ હોતું નથી.
  • મૃત્યુ પછી અંગત કારણોસર પૃથ્વીના અસ્ટ્રાલ આયામ ઉપર જેમને રહેવાની ઈચ્છા હોય તેમને તેટલો સમય ત્યાં રહેવા દેવાય છે - આત્મિક માર્ગદર્શક આવા આત્માને spirit વર્લ્ડ માં લઇ જવા કોઈ ઉતાવળ કરતા નથી.
  • દરેક આત્માને પોતાનો રોલ ઉમદા રીતે અદા કરવાની ખેવના રહે છે - વિકાસ કરીને પોતાના સર્જક સ્ત્રોતને મળવાની ભાવના ખાસ પ્રોત્સાહક બળ બને છે.
  • દરેકને જન્મ ધારણ કરવાની તક મળે તે બાબત કૃતઘ્ન ભાવ હોય છે.
  • એકાદ બે જન્મ પછી આત્માને ઉચ્ચ ગુણ ધારક આત્મિક કમિટી સાથે મુલાકાતની તક મળે છે અહીં આત્માએ કરેલ ભૂલ વિષે વાત થાય છે અને વધુ સારો વ્યવહાર કેવી રીતે કરી શકાય તે બાબત માર્ગદર્શન મળે છે. આ કમિટી ના સભ્યો લગભગ સર્જનહાર જેવા જ હોય છે. અહી ઉચ્ચ કક્ષાનાં દિવ્ય જ્ઞાન ની અનુભૂતિ થાય છે.
  • બીજો જન્મ લેતા અગાઉ અનેક સંભવિત માનવ શરીર અને તેના ભાવી જીવન વિષે જાણકારી અને ચકાસણી કરવાની તક મળે છે.
  • પાછલા જન્મોમાં જે ગુણ વિકસાવવાની ઓછી તક મળી હોય તેવા ગુણ વિકાસ કરવાના હેતુ થી આત્મા ઓછા વિકસિત શરીર અને જેતે ગુણ બાબત પડકાર વાળા ભવિષ્ય વાળી જિંદગી પસંદ કરે છે.
  • જ્યાં સુધી પોતાની પસંદગી નું શરીર અને જિંદગી મળે નહીં ત્યાં સુધી આત્મા સ્પીરીટ વર્લ્ડમાં રહે છે.
  • જરૂરી નથી કે આત્મા પૃથ્વી પરનું જીવન જ પસંદ કરે - અન્ય આયામ ઉપર અવતાર લેવાનું પણ પસંદ કરી શકે છે.
  • એક વાર જન્મ લેવાનું પસંદ કરી લેવામાં આવે ત્યાર બાદ પસંદ કરેલ જીવન બાબતની પૂર્વ તૈયારી માટે તાલીમ અપાય છે.
  • આ તાલીમમાં આવનાર જીવન ની મહત્વની ઘટનાઓ બાબત અને મુખ્ય આત્મિક સાથીના મિલન બાબત જાણકારી અપાય છે.
  • છેવટે નવા જન્મ માટે જતા અગાઉ સ્પીરીટ વર્લ્ડના આત્મિક મિત્રોને આપણે હંગામી ગુડ બાય કરીએ છીએ
  • જે માતાની કુખે જન્મ લેવાનો હોય તેનો ગર્ભ લગભગ ૩ માસનો થઇ જાય એટલે આત્મા તેમાં પ્રવેશી તેના મગજ ઉપર પોતાના ગુણ સેટ કરેછે. આ સંયોજન થી નવા જન્મનાર વ્યક્તિ ના વ્યક્તિત્વના ગુણ રોપાય છે