જીવનનં આધ્યાત્મિક પરિમાણ સરળતા થી સમજવા માટે આપણે કેટલાક શબ્દ-પ્રયોગો સમજી લેવા પડશે.

આ જગતમાં જીવન એક મહા-યોજના મુજબ ચાલે છે. તેમાં કર્મનો સિદ્ધાંત અને સમગ્ર માનવ જાત ના વિકાસ નો સિદ્ધાંત સાથે મળી કામ કરે છે

જીવન ને સમગ્ર રીતે જોઈએ છીએ ત્યારે જણાય છે કે પૂર્વ-જન્મ ના પરસ્પર વ્યવહાર માંથી ઉભા થતા લેણ-દેણ ના હિસાબે વ્યક્તિઓ વચ્ચે જુદા-જુદા સ્વરૂપના સંબંધ સ્થપાય છે. અને આ હિસાબોની ભરપાઈ કરવાની ગડમથલ માં વ્યક્તિ શીખતો જાય છે -ઉચ્ચ ગુણોનો વિકાસ કરતો જાય છે અને તેમાંથી ફરી નવા કર્મો બંધાય છે..

આપણે જે ને 'સ્વ' તરીકે જાણીએ છીએ : આત્મા

આપણું એક સનાતન સ્વરૂપ છે જે સત-ચિત-આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે. આ શુદ્ધ ચૈતન્ય પોતાનો એક અંશ જુદા જુદા planes ઉપર અનુભવ માટે મોકલે છે. આ જગત ઉપર ભૌતિકસ્તરે અનુભવ લેવા જે અસ્તિત્વ આવે છે તેને આપણે આત્મા કે જીવાત્મા કહીએ છીએ.

આપણો આત્મા જુદા જુદા જન્મ દરમ્યાન જિંદગીના અનુભવો માથી ઉચ્ચ ગુણ નો વિકાસ કરતો રહે છે. અને આ બધા અનુભવો જિંદગી ના અન્ય વ્યક્તિ સાથે ના વ્યવહારમાથી નીપજે છે. અરસ-પરસ ના વ્યવહારોમાંથી ઋણાનુબંધ સર્જાય છે.

જનમો જનમ ની સફર દરમ્યાન આત્મા ઉચ્ચ ગુણોનો વિકાસ કરવાની સાથે સાથે અન્ય સાથેના ઋણાનુબંધ પણ પૂરા કરી શકે તેવી રીતે જગત ની સિસ્ટમ ચાલે છે. અને એ મુજબ સાથી આત્માઓ જીવન દરમિયાન આવે છે, શીખવે છે ને શીખે છે અને એ રીતે પોતાના આત્મિક વિકાસ ની સાથે સાથે ઋણાનુબંધ પણ પૂરા કરતાં રહે છે.

આત્મા ભૌતિક જગતમાં અવતરે તે પહેલા જે તે જીવન માંથી પોતાને શું શું શીખવાનું છે તે નક્કી કરી ને (vision) આવે છે. પરંતુ આત્મા જાતે સીધે સીધો જીવન ના વ્યવહારો કરી શકતો નથી કારણ કે આ જગતના કેટલાક મૂળ નિયમો છે તે મુજબ તેણે શરીર-મન- હ્રદય મારફત અવતરવું પડે છે.

આત્મા નો સંપર્ક હ્રદય સાથે રહે છે. કારણ કે આત્મા ના સિલેબસ માં પ્રેમ, સહાનુભૂતિ, ધૈર્ય, સમતા, શ્રદ્ધા જેવા ઉચ્ચ ગુણ હોય છે જે મનુષ્ય માં હ્રદય સાથે નિસબત ધરાવતા હોય છે.

હૃદય :

આત્મા તો જુદા જુદા જીવન ની સફર કરતો રહે છે અને તેનું ક્ષેત્ર બહુ વિશાળ છે તેની સામે જે તે જીવનમાં તે જેના મારફત કામ કરવા પ્રયત્ન કરે છે તે હ્રદય ઘણું સીમિત હોવાથી જ્યારે આત્મા પોતાના જીવન ના ધ્યેય માટે અતિ આવશ્યક ઘટનાઓ વિષે હ્રદય સાથે સંપર્ક સ્થાપિત કરે - તે સૂચના કે message ને આપણે પ્રેરણા કે આત્મબોધ કે intuition કહીએ છીએ.

હ્રદય પોતે આત્માના કાર્યક્ષેત્ર ના સંદર્ભે ઘણું સીમિત હોવાથી તેના માટે આ પ્રેરણા ને accommodate કરવું ઘણું મુશ્કેલ હોય છે.. અને તે અદ્ભુત રોમાંચ નો અનુભવ કરે છે (overwhelmed).

પ્રેમ નો અનુભવ આ કારણે અવર્ણનીય હોય છે. કારણ પ્રેમ નો ગુણ આત્માના સિલેબસ માં સૌથી અગ્રતા ક્રમે હોય છે.

અહીં એ વાત સમજી લેવી જરૂરી છે કે માત્ર સ્ત્રી પુરુષ નાં પ્રેમ ને જ આ બાબત લાગુ પડે છે એવું નથી .. હકીકત માં તો જે કોઈ સંબંધ, જે કોઈ ઘટના માં આ જીવન માટે આત્મા એ જે ઉચ્ચ ગુણ દ્રઢ કરવાનો નિર્ધાર કરેલ હોય તેવા ગુણ નો ઉપયોગ થાય, ઋણાનુબંધ કપાય તેવી પરિસ્થિતિ આવતી હોય ત્યારે આત્મા નો સંદેશ -પ્રેરણા હૃદય ને મળે છે.. અને આ કારણે જ આપણે અદભૂત રોમાંચ અનુભવીએ છીએ.

મન અને બુદ્ધિ :

પણ જે પ્રેરણા મળે છે તે મુજબ જીવન ને ચલાવવા નું વ્યવસ્થાતંત્ર હ્રદય પાસે હોતું નથી. જીવન ચલાવવા નું તંત્ર માણસના મન (mind) અને ઈગો (ego)પાસે હોય છે. આ કારણે હ્રદય થોડો સમય અવર્ણનીય રોમાંચ અનુભવી પછી શાંત થઈ જાય છે... અથવા કલેશ અનુભવે છે.

હ્રદય પાસેની પ્રેરણા ને લઇ મન જીવન નાં વ્યવહારો માટે ઉપયોગી વિચાર વલય નં સર્જન કરે છે. પણ આ મન ની વૃત્તિ (attitude) ઉપર પાછલા અનુભવો માંથી સારી નરસી અસર થયેલ હોવાથી અને પાંચ-ઇન્દ્રિય ની સાથે ઘરોબો હોવાથી મન તાર્કિક અભિગમ અપનાવે છે અને પ્રેરણા ને વાસ્તવિક્તાથી દૂર છે તેમ કહી અવગણવાનું શરૂ કરે છે. જગત ની બધી હોંશિયારી ને સ્વાર્થ સાધવાની વૃત્તિ આ મન પાસે હોય છે તેથી તે હ્રદય ના પ્રેમ, સહાનુભૂતિ, ધૈર્ય, સમતા, શ્રદ્ધા જેવા ઉચ્ચ ગુણ ની વાત થી ઈગો ભડકી ઉઠે તેવા તર્ક વિતર્ક રજુ કરે છે - પ્રેમ જેવી ઉચ્ચ બાબતો ની વાત આવે કે તુરંત ઈગો ને insecurity and inferiority complex થવા લાગે છે કારણ તેમાં સહન કરવાનું કે જતું કરવાનું ને વિશાળ દિલના થવાની જરૂર પડે તેમ હોય છે.

તેને હ્રદય ની વાત માનવમાં જીવન ની જે બાજી તેણે ગોઠવી છે તે બગડી જવાની બીક લાગે છે.. હવે જો જન્મો-જનમ ના અનુભવો માંથી મન પણ શીખતું શીખતું એ કક્ષા એ પહોંચી ગયું હોય તો તે હ્રદય ની વાત માની લે તે વું બને છે.. પણ મન ની પાસે તર્ક હોય છે તે ફરી બંને તરફ ની દલીલો રજૂ કરે છે.. તેથી અનિશ્ચિતા ઊભી થાય છે.. ઘડીક માં સુખ તો ઘડીક માં દૂખ નો અનુભવ થાય છે..

વિષાદ-પીડા

આ વિરોધાભાસ ને કારણે દિલ અને દિમાગ વચ્ચે વિષાદ પેદા થાય છે.

જીવન ની ગાડી જ્યારે પણ મહત્વના ગુણ કેળવાય અને પૂર્વના ઋણાનુબંધ નું આદાન પ્રદાન થઈ શકે તેવા સ્ટેશન પર આવે છે ત્યારે દિલ જેને આત્મા માંથી પ્રેરણા રૂપે સૂચના મળે છે, ખુશખુશ થઈ જાય છે.. પણ જેની પાસે execution power છે તે મન અને ઈગો તેમાં સહકાર ના આપી શકે ત્યારે વિષાદ થાય છે.. અને પછી અંતરમાં આ વિષાદ દૂર કરવાની કવાયત થાય છે .. બેચેની અનુભવાય છે .. જે હ્રદય આત્મિક સાથી પાસે થી પ્રેમ નાં આદાન પ્રદાન નો અવસર જોઈ રોમાંચિત થઈ ગયું હોય તે રડે છે .. અને અશ્રુ એ બીજું કાંઇ નથી પણ મન અને દિલ ની કશમ-કશ માંથી સાર રૂપે જે સત્વ નીકળે તે છે. તેથી જ અશ્રુ વહ્યા પછી બેચેની ની વ્યથા-પીડા ઓછી થઈ હોય તેવું લાગે છે.

આ પીડા પણ છેવટે તો lessons શીખવાની પ્રક્રિયાનો એક અનિવાર્ય ભાગ જ હોય છે.. પીડા થાય નહીં તો ચેતના ઉપર જે તે ગુણ ની અસર પેદા થઈ શકે નહીં.. પીડા નો અનુભવ થાય તેનો મતલબ તો એજ છે કે આપણે કોઈ મહત્વનો પદાર્થ-પાઠ લેવાની ને જન્મો જનમ ના સાથી સાથેના ઋણાનુબંધ ના વ્યવહાર ફેંડવાની પ્રક્રિયા માંથી પસાર થઈ રહ્યા છીએ ..

જેમનું મન વધુ મજબૂત હોય તેને હ્રદય ની વાત માનવામાં વધુ મુશ્કેલી પડે છે .. ને ભાવાતીત થઈને જો તેમણે પ્રેમ નો સ્વીકાર કર્યો હોય તો તેમાથી છૂટી જવા જલ્દી જલ્દી બહાના શોધવા માંડે છે.

ઈગો :

દિલ અને મન ની લાગણી ને દલીલો ને સાંભળી શું આચરણમાં મૂકવું તે કામ આપણો Ego કરે છે. આ Ego પાસે પોતાના બાબતની મિથ્યા false image હોય છે.. તેની ઉપર વ્યવહારુ ને સામાજિક માન્યતાઓ ની મોટી અસર હોય છે અને તે પોતાનું અભિમાન સાચવવા હંમેશ પ્રયત્નશીલ રહે છે. તેને પ્રેમ, સહાનુભૂતિ, ધૈર્ય, સમતા, શ્રદ્ધા જેવા ઉચ્ચ ગુણ સાથે માત્ર દેખાવ પૂરતો જ સંબંધ રાખવાનું પોસાય છે. આ બધા ગુણ સામે તે લઘુતા ગ્રંથિ થી પીડાય છે અને તેથી તેને 'વિવેક ' નું રૂપાળું નામ આપી અવગણવા નો નિર્ણય લેવાનું તેને ઉચિત લાગે છે..

  • આત્મિક વિકાસની કઈ કક્ષાએ આપણે અવતરિત થયા છીએ તેની ઉપર આપણા વ્યવહાર અને પીડા ના અનુભવ નો આધાર રહછે. વળી free-will ની દખલ-અંદાજી નો ખતરો તો ખરો જ. ..
  • કયા કયા ગુણ અવગુણ ઉપર તમારે હજી મથવાનું બાકી હોય તેની ઉપર પણ પીડા નો આધાર રહે છે..
  • કેવા કેવા ઋણાનુબંધ ને કર્મ નાં ફળ હજી બાકી છે તેની ઉપર બધો આધાર રહે છે.

તો આપણી જીવન સફર ને સાર્થક બનાવવા આપણે શું કરવું ?

  • જીવનમાં બીજા કયા ઇદ્રીયાતીત કારણો છે જે આપણને લક્ષ્ય તરફની ગતિ અને દિશા નં ભાન ભુલાવી દે છે ?
  • આ જગતની કઈ મૂળભૂત લાક્ષણીકતાઓ છે જે ને સમજીએ નહિ તો સફરનો આનંદ નંદવાઈ જાય તેમ છે ?

આવા બધા પ્રશ્નો નો જવાબ શોધવાની ગડમથલ એટલે જ આધ્યાત્મિક સંશોધન અને તે માટે ની વિવિધ પ્રક્રિયાઓ નં પ્રયોજન એટલે જ આધ્યાત્મિક અનુષ્ઠાન.

આ બધી બાબતો વિષે આપણે સરળ ભાષામાં - રોજ બરોજના જીવનના દાખલાઓથી શીખવા પ્રયાસ કરીશું.