ધોરણ-9 ના અંગ્રેજી વ્યાકરણના “આર્ટિકલ” માં થતી ભુલોનું નિદાન અને ઉપચારાત્મક કાર્યક્રમ ની રચના અને અજમાયશ
કમલેશકુમાર ઇશ્વરભાઇ પટેલ
( એમ.એ, એમ.એડ. )
૧. પ્રસ્તાવના
કોઇપણ સંશોધનના પાયામાં સંશોધનના હેતુઓનું ખૂબ જ મહત્વ છે. ત્યારબાદ માહિતીનું એકત્રીકરણ, અર્થઘટન, અને તારણો સમાયેલા હોય છે. તારણો એ સંશોધન કાર્યની ફલશ્રુતિ છે. જેથી એમાં સમગ્ર સંશોધનના પાસાઓનો નીચોડ એવી રીતે રજૂ કરવામાં આવે છે કે તારણો સ્પષ્ટપણે ઉપસી આવે તેમજ જણાવેલા પ્રકરણોમાં જે ચર્ચા કરવામાં આવેલી છે તેના નિષ્કર્ષરૂપે સારાંશ લખવો જરૂરી છે.
કોઇપણ વિષયનું સંશોધન ત્યારે જ ફળદાઇ બને જ્યારે તે અન્ય સંશોધન તથા સંશોધકોને માટે માર્ગદાર્શકરૂપ બને અને કોઇપણ સંશોધન માર્ગદર્શનરૂપ ત્યારે જ બને કે જ્યારે સંશોધનમાં સારાંશ,તારણો,ભલામાણો તેમજ ભાવિ સંશોધન અંગેના સૂચનો કરેલ હોય તેથી પ્રસ્તુત પ્રકરણમાં સંશોધનનો સારાંશ,અવલોકનો,તારણો તેમજ ભાવિ સંશોધન અંગેના સૂચનોની ચર્ચા કરેલ છે.
૨. સંશોધનનું શીર્ષક
“ ધોરણ-9 ના અંગ્રેજી વ્યાકરણના “આર્ટિકલ” માં થતી ભુલોનું નિદાન અને ઉપચારાત્મક કાર્યક્રમ ની રચના અને અજમાયશ.”
“A construction and try out of the diagnoses and remedial programme on the ‘Article’ unit of English grammer for std.-9
૩. સંશોધનમાં સમાવિષ્ટ ચલો
1. સ્વંતંત્ર ચલ –નિદાન અને ઉપાચાર શિક્ષણ પધ્ધતિ.
2. પરતંત્ર ચલ – શૈક્ષણિક સિધ્ધિ
3. અંકુશિત ચલ – આર્ટિકલ, વિષયવસ્તું, ધોરણ, તાસ (સમય), શૈક્ષણિક પર્યાવરણ, શિક્ષકની અસર
4. પરિવર્તક ચલ – જાતિ
5.
૪. સંશોધનના હેતુઓ
સંશોધકે પ્રસ્તુત લઘુશોધ નિબંધને સાકાર કરવા નીચેના હેતુઓ નિર્ધારિત કર્યા હતા.
1. ધોરણ-૯ ના અંગ્રેજી વિષયમાં આર્ટિકલ પર આધારિત નિદાન કસોટીની રચના કરવી.
2. રચેલ નિદાન કસોટીની અજમાયશ કરવી.
3. નિદાન કસોટીના પરિણામોને આધારે ઉપચારત્મક શિક્ષણ કાર્ય કરવું
4. ઉપચારત્મક શિક્ષણ કાર્યની અસર તપાસવા પુન: નિદાનાત્મક કસોટીની રચના કરવી.
5. પુન: નિદાનાત્મક કસોટી દ્વારા ઉપચારકાર્યની અસર તપાસવી.
૫. સંશોધનની શૂન્ય ઉત્કલ્પનાઓ
1. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના ‘આર્ટિકલ’ પરથી વિદ્યાર્થીઓની
નિદાનાત્મક અને પુન: નિદાનાત્મક કસોટીના પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક
તફાવત નહિં હોય.
2. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના ‘આર્ટિકલ’માં કુમારોની નિદાનાત્મક
અને પુન: નિદાનાત્મક કસોટીના પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નહિં
હોય.
3. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના ‘આર્ટિકલ’માં કન્યાઓની નિદાનાત્મક
અને પુન: નિદાનાત્મક કસોટીના પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નહિં
હોય.
4. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના ‘આર્ટિકલ’માં કુમાર અને કન્યાઓના
નિદાનાત્મક કસોટીના પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નહીં હોય.
5. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના ‘આર્ટિકલ’માં કુમાર અને કન્યાઓના
પુન: નિદાનાત્મક કસોટીના પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નહીં હોય.
૬. સંશોધનનું સીમાંકન
સીમાંકન
પ્રસ્તુત સંશોધન માત્ર હિંમતનગર તાલુકાની ગ્રામ્ય વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા ગુજરાતી માધ્યમના ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ પુરતો સિમિત છે.
મર્યાદાઓ
1. સંશોધનમાં નિદાનાત્મક કસોટીની રચના ધોરણ-૯ ના અંગ્રેજી વિષયના માત્ર આર્ટિકલના કઠિન મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરેલ છે.
2. સંશોધનમાં નિદર્શ તરેકે ગ્રામ્ય વિસ્તારની એક જ શાળાના ધોરણ-૯ ના ૬૦ વિદ્યાર્થીઓને પસંદ કરેલ છે.
૭.વ્યાપવિશ્વ અને નમુનો
પ્રસ્તુત સંશોધનનો વ્યાપવિશ્વ સમગ્ર ગુજરાત રાજ્યની ગુજરાતી માધ્યમની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ભણતા ધોરણ-૯ ના તમામ વિદ્યાર્થીઓ થશે.
નમૂનો
પ્રસ્તુત સંશોધન માટે હિંમતનગર તાલુકની શ્રી બી.આર.પટેલ સેકન્ડરી સ્કૂલના શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬ના એક વર્ગના કુલ ૬૦ વિદ્યાર્થીઓને નિદર્શ તરીકે પસંદ કર્યા.નમૂના માટેના પાત્રો સહેતુક પસંદગીથી પસંદ કરવામા આવ્યા.
૭. સંશોધન પધ્ધતી
પ્રસ્તુત સંશોધનમાં પ્રાયોગિક સંશોધન પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
૮. ઉપકરણ
પ્રસ્તુત સંશોધનમાં સંશોધક દ્વારા સ્વનિર્મિત ઉપકરણ તરીકે નિદાનાત્મક કસોટી અને પુન: નિદાનાત્મક કસોટીની રચના કરવામાં આવી.
૯. માહિતીનું એકત્રીકરણ
પ્રસ્તુત સંશોધન દરમિયાન નીચેની તબક્કાવાર માહિતી પ્રાપ્ત કરવામાં આવી.
1. સંશોધક દ્વારા તૈયાર કરેલ નિદાન કસોટી શ્રી,બી.આર.પટેલ સેકન્ડરી સ્કૂલ ગઢોડાના ધોરણ-૯ ના નમૂનામાં પસંદ થયેલા ૩૦ કુમારો અને ૩૦ કન્યાઓને નિદાન કસોટી ભરાવી માહિતી પ્રાપ્ત કરવામાં આવી.
2. સંશોધક દ્વારા વિદ્યાર્થીઓએ ભરેલ નિદાનાત્મક કસોટીનું મૂલ્યાંકન કર્યા બાદ ઉપચારાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
3. ઉપચારાત્મક શિક્ષણકાર્ય દરમિયાન આગમન-નિગમન પધ્ધતી અને વિવિધ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો.
4. સંશોધક દ્વારા નમૂનાના પાત્રો જોડે પુન: નિદાનાત્મક કસોટી ભરાવી મૂલ્યાંકન કરી પ્રાપ્તાંકો મેળવવામાં આવ્યા.
આમ, તબક્કાવાર સંશોધક દ્વારા નમૂનાના પાત્રો જોડેથી માહિતી એકત્રીત કરવામાં આવી.
૧૦. માહિતીનું પૃથક્કરણ અને અર્થઘટન
નિદાનાત્મક અને પુન: નિદાનાત્મક કસોટીના પ્રાપ્તાંકોનુ ગુણાંકન કરી આવૃતિ વિતરણ તૈયાર કરવામાં આવ્યું. જેના આધારે સરાસરી, મધ્યક, પ્રમાણ વિચલન જેવી પ્રવિધિનીનો ઉપયોગ કરી જાતિવાર પ્રાપ્તાંકોનું મૂલ્ય શોધી સાર્થકતા કક્ષા તપાસવામાં આવી. જેની સારણીમાં આલેખાત્મક રજૂઆત કરવામાં આવી.
- મધ્યક (સરાસરી)
- પ્રમાણ વિચલન
- t -કસોટી
૧૧.સંશોધનના મુખ્ય તારણો
1. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના આર્ટિકલ પરથી વિદ્યાર્થીઓની નિદાનાત્મક અને પુન: નિદાનાત્મક કસોટીના પ્રાપ્તાંકોમાં સાર્થક તફાવત છે. આથી કહી શકાય કે વિદ્યાર્થીઓને નિદાનકાર્ય અને ઉપચાર કાર્ય દ્વારા અધ્યયન કરાવવામાં આવે તો તેના પ્રાપ્તાંકોમાં વધારો થઇ શકે છે.
2. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના આર્ટિકલ પરથી કુમારોની નિદાનાત્મક અને પુન: નિદાનાત્મક કસોટીના પ્રાપ્તાંકોમાં સાર્થક તફાવત છે. આથી કહી શકાય કે ધોરન-૯ના કુમારોને અંગ્રેજી વિષયના કોઇ પણ એકમમાં નિદાન અને પુન: નિદાનત્મક કસોટીઓનો ઉપયોગ કરી ઉપચારાત્મક કાર્ય દ્વારા વધુ પ્રાપ્તાંકો મેળવવા મદદરૂપ થઇ શકાય.
3. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના આર્ટિકલ પરથી કન્યાઓની નિદાનાત્મક અને પુન: નિદાનાત્મક કસોટીના પ્રાપ્તાંકોમાં સાર્થક તફાવત છે. આથી કહી શકાય કે ધોરન-૯ના કન્યાઓને અંગ્રેજી વિષયના કોઇ પણ એકમમાં નિદાન અને પુન: નિદાનત્મક કસોટીઓનો ઉપયોગ કરી ઉપચારાત્મક કાર્ય દ્વારા વધુ પ્રાપ્તાંકો મેળવવા મદદરૂપ થઇ શકાય.
4. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના આર્ટિકલમાં કુમાર અને કન્યાઓની નિદાનાત્મક કસોટીમાં સાર્થક તફાવત જોવા મળતો નથી. આ પરથી કહી શકાય કે ધોરણ-૯ના કુમારો અને કન્યાઓનું નિદાનાત્મક કાર્ય જાતિની દ્રષ્ટિએ ન કરતાં સમૂહમાં અંગ્રેજી વિષયનું કોઇપણ એકમ ઉપર નિદાન અને ઉપચાર કાર્ય કરી શકાય.
5. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના આર્ટિકલમાં કુમાર અને કન્યાઓની પુન: નિદાનાત્મક કસોટીમાં સાર્થક તફાવત જોવા મળતો નથી. આ પરથી કહી શકાય કે ધોરણ-૯ના કુમારો અને કન્યાઓનું પુન:નિદાનાત્મક કાર્ય જાતિની દ્રષ્ટિએ ન કરતાં સમૂહમાં અંગ્રેજી વિષયનું કોઇપણ એકમ ઉપર નિદાન અને ઉપચાર કાર્ય કરી શકાય.
૧૨.શૈક્ષણિક ફલિતાર્થ
પ્રસ્તુત સંશોધનનો શૈક્ષણિક ફલિતાર્થ નીચે પ્રમાણે રજૂ કરેલ છે.
1. નિદાનાત્મક કસોટીઓ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી પ્રત્યેક શાળાઓમાં લેવાતી થાય તેવા પ્રયાસો થવા જોઇએ.
2. નિદાનાત્મક કસોટીની જેમ અસરકારક ઉપચારાત્મક કાર્યક્રમ તૈયાર કરી તેના પરિણામોનું અવલોકન થાય તે પણ જરૂરી છે.
3. વિદ્યાર્થીઓને ચીલાચાલુ એક જ પ્રકારનું શિક્ષણ ન આપતાં જરૂરિયાત મુજબ પ્રવૃતિમય અને વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખી શિક્ષણ આપવું જોઇએ.
4. નિદર્શમાં ઓછા વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે તો શૈક્ષણિક કાર્ય સારી રીતે અસરકારક રીતે કરી શકાય.
5. ધોરણ-૯ ના અંગ્રેજી વિષયક કઠિન મુદ્દાઓ શીખવવા માટે એક કરતા વધુ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે તો ઉપચારાત્મક શિક્ષણ દ્વારા તેમની શૈક્ષણિક સિધ્ધિ વધારી શકાય છે.
6. નિદાનાત્મક કસોટીના પ્રાપ્તાંકો વિદ્યાર્થીઓને તાત્કાલિક જણાવવા જોઇએ. જેથી વિદ્યાર્થી અભ્યાસ પ્રક્રિયામાં અભિપ્રેરીત થાય.
7. વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપી દરેક વિષયમાં વિદ્યાર્થીઓ વારંવાર ભૂલો કરતા હોય તે વિગતો શોધી કાઢી તેમને બતાવાવી જોઇએ.
8. નિદાનાત્મક કસોટીઓ લીધા પછી ઉપચારાત્મક શિક્ષણ સમયે વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપી યોગ્ય માર્ગદર્શન આપવું જોઇએ.
9. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના આર્ટિકલ પરથી કુમારોની નિદાનાત્મક અને પુન:નિદાનાત્મક કસોટીઓનો ઉપયોગ કરી અંગ્રીજી વિષયમાં શૈક્ષણિક કાર્ય અસરકારક રીતે કરી શકાય જેથી કુમારોના પ્રાપ્તાંકોમાં વધારો થઇ શકે.
10. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરણના આર્ટિકલ પરથી કન્યાઓની નિદાનાત્મક અને પુન:નિદાનાત્મક કસોટીઓનો ઉપયોગ કરી અંગ્રીજી વિષયમાં શૈક્ષણિક કાર્ય અસરકારક રીતે કરી શકાય જેથી કન્યાઓના પ્રાપ્તાંકોમાં વધારો થઇ શકે.
11. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરાણના આર્ટિકલ એકમમાં કુમાર અને કન્યાઓની નિદાનાત્મક કસોટીમાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સમૂહ ઉપયોગ કરવામાં આવે તો પ્રાપ્તાંકોમાં તફાવત જોવા મળશે નહિં.
12. ધોરણ-૯ ના અંગ્રેજી વ્યાકરાણના આર્ટિકલ એકમમાં કુમાર અને કન્યાઓની પુન: નિદાનાત્મક કસોટીમાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સમૂહ ઉપયોગ કરવામાં આવે તો પ્રાપ્તાંકોમાં તફાવત જોવા મળશે નહિં.
૧૪. ઉપસંહાર
પ્રગતિશીલ દેશના પાયામાં નવીન સંશોધનો મહત્વનો ભાગ ભજવે છે. જે દેશની શિક્ષણ વ્યવસ્થા, શિક્ષણ પ્રણાલી ઉચ્ચ હશે તે દેશ ઝડપી વિકાસ સાધી શકે છે. આમ શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે તેમાં નવીનતમ ફેરફારો વિકાસાત્મક ધોરણે હાથ ધરવા જરૂરી બની જાય છે. તેથી જ સંશોધનો એ આવશ્યક બની રહ્યા છે. સંશોધનને કારણે શિક્ષણને સતત નવ પલ્લવિત રાખી શકાય છે.
સંશોધનના તારણો એ કોઇપણ સંશોધનનો નીચોડ છે. સંશોધનને વ્યવહારમાં ઉપયોગી બનાવતા પહેલાં તેના તારણોનો મહત્વનો ભાગ છે. પ્રસ્તુત પ્રકરણમાં સંશોધકે સંશોધનનો સારાંશ તથા તારણો તેમજ ભાવિ સંશોધનો અંગેના વિષયો પણ દર્શાવવામાં આવેલા છે.
સંદર્ભ સૂચિ
પાઠય પુસ્તક :
ધોરણ-૯ અંગ્રેજી પાઠયપુસ્તક (૨૦૦૬) (દ્વિતીય ભાષા), ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ, ગાંધીનગર
ગુજરાતી પુસ્તકો :
ઉચાટ, ડી.એ.(૨૦૦૯), શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, રાજકોટ : સોરાષ્ટ્ર યુનિવર્સિટી.
દેસાઈ, કે.જી. અને દેસાઈ, એસ.જી. (૧૯૯૭) સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (સાતમી આવૃત્તિ) યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય : અમદાવાદ
શાહ, દિપીકા બી. (૨૦૦૯) શૈક્ષણિક સંશોધન (પ્રથમ આવૃત્તિ) અમદાવાદ : પ્રમુખ પ્રકાશન.
રાવલ, નટુભાઈ વી અને અન્ય (૨૦૧૦-૧૧) ગુજરાતી અભિનવ અધ્યાપન અમદાવાદ : નીરવ પ્રકાશન.
રાઠોડ, રાજેશ આર. સંશોધનમાં ચલ અને ઉત્કલ્પના જુલાઈ (૨૦૦૯) : સુરત.
પારેખ, ભગવાનલાલ ઉ. અને ત્રિવેદી, મનુભાઈ દ. શિક્ષણમાં આંકડાશાસ્ત્ર (પંચમ આવૃત્તિ) યુનિવર્સિટી, ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય, અમદાવાદ.
English Books :
Hopper and Bors (1958), An Introduction to Research Procedure in Education, New York, P.122
R.A. Fisher (1950), Statistical Methods for Research Workers. Edinburg.
Wren and martin, High School English Grammar and Composition, S. Chand & Company Ltd. P.127.
John Eastwood, Oxford Practice Grammar, (Second edition) Oxford University Press - 1999 P.284.
Vikas English Grammar & Composition Std-9 નવનીત પ્રકાશન, અમદાવાદ, P.47.
Vikas English Grammar & Composition Std-10 નવનીત પ્રકાશન, અમદાવાદ, P.141.