AROGYAM
HOME PAGE
RELATED LINKS FOR PDFs : OTHER MAGAZINES ON HEALTH /BOOKS ON HEALTH /ARTICLES ON HEALTH /OLD ISSUES OF SHIVAMBU /OLD ISSUES OF HOLISTIC HEALER //OLD ISSUES OF HOLISTIC हीलींग હેલ્પ્સ // સર્વાંગી સ્વાશ્રયી સ્વાસ્થ્ય
===================================================================== “આરોગ્યમ્” બ્લોગનાં પાનાંઓ પર એક સાથે ત્રણ જીવનઆરોગ્ય વીષયક સામયીકો !! –જુગલકીશોર. ‘मानवजाति के विकासमें पहिये का आविष्कार एक चमत्कारिक घटना है । इसके बीना आजकी सभ्यता कैसी होती, सहज ही अनुमान लगाया जा सकता है। पहिये के इस आविष्कार के बाद परंतु उससे भी महत्त्वपुर्ण दो चमत्कारिक आविष्कार हुए । एक ब्रेक का, जो गति को रोकता है और दूसरा गिरारी (गीयर) जो गति को नियंत्रित करता है । अगर ईन दोनों का आविष्कार नहीं होता तो पहिया हमें किस दूर्दशा की ओर ले जाता इसकी कल्पना भी सहज की जा सकती है ।’ શ્રી ધનરુપમલ સુરાણાજીના ઉપરોક્ત શબ્દોનો સહારો લઈને શ્રી બીપીનભાઈ પારેખ પોતાના સામયીકોની પ્રસ્તાવનામાં કહે છે કે પૈડાં કહેતાં ગતીનું જેટલું મહત્વ જીવનના રોજીંદા આરોગ્ય માટે છે તેટલું, બલ્કે તેધીય વધુ મહત્વ પૈડાં પર મુકવામાં આવતી બ્રેકનું અને સાથે સાથે એને જોડેલા ગીયર્સનું છે. પૈડાં આરોગ્ય દ્વારા જીવનને ગતીશીલ રાખે છે એ જેટલું સાચું અને મહત્વનું છે તેનાથીય વધુ મહત્વનું એ છે કે એ આરોગ્યજીવનની ગતી નીયંત્રીત રહે તથા એને જરુર પડે ત્યારે બ્રેક પણ મારી શકાય ! અનીયંત્રીત જીવન દ્વારા સુધરેલા કહેવાતામાં સમાજ ખોરાક, તેને તૈયાર કરવાની વીધીઓ, તેમાં વપરાતાં મસાલા ઉપરાંત જુદાં જુદાં પીણાં અને પેય પદાર્થો, વ્યસનો, અનેક બીનઆરોગ્યપ્રદ કુટેવો તથા જીવનની અનેકાનેક અનારોગ્ય આપનારી જીવન પદ્ધતીઓ એટલી બધી નુકસાનકારક બની રહી છે કે હવે ત્યાંથી પાછાં ફરવું લગભગ અશક્ય બની ચુક્યું છે. આવા સમયમાં જીવનને નીરોગી રાખવા માટેની મુખ્યત્વે બે તબક્કાની પ્રણાલીની વાત લઈને આપણું કુદરતી ઉપચારનું શાસ્ત્ર ઉપસ્થીત છે તે વાત આ સામયીકના સંપાદકશ્રી તીવ્ર સ્વરે કહેવા માગે છે. આ બે તબક્કામાંનો પ્રથમ તબક્કો તે રોગને આવતો અટકાવવો અને બીજો તબક્કો તે રોગ આવી ચુક્યો હોય તો તેને કુદરતી ઉપચારો દ્વારા જ મટાડવો. કુદરતી ઉપચારના શાસ્ત્રની એક અતી મહત્વની વાત છે તે તો એ છે કે આ શાસ્ત્રમાં કેવળ શરીર જ લક્ષ્ય નથી હોતું. શરીરને આપણે ત્યાં ધર્મનું સાધન કહ્યું છે. એમાં રહેલું મન મોટેભાગે બુદ્ધી દ્વારા મોટે ભાગે સમગ્ર જીવનનું નીયંત્રણ કરે છે તેથી આ ઉપચારશાસ્ત્ર મનુષ્યના મનના સ્વાસ્થ્યથી શરુ કરીને સંપુર્ણ જીવનના સ્વાસ્થ્યની ચીંતા કરે છે. જો કે એમાં ઉપચારની વાતનીય પહેલાં આવે છે આગોતરી કાળજીની !! અને તેથી જ આ શાસ્ત્રને સંપુર્ણ શાસ્ત્ર કહેવાનો લોભ થાય તે સહજ છે. અમને જણાવતાં આનંદ અને ગૌરવ થાય છે કે હમણાં સુધી અમારા “આરોગ્યમ્” બ્લોગ ઉપર આરોગ્યનું જે એક માત્ર સામયીક “શીવામ્બુ” રહેતું હતું ત્યાં આજે એક સાથે બીજાં ત્રણ સામયીકો કે જે ત્રણેય કુદરતી ઉપચાર માટેનાં જ છે તેનું પ્રકાશન થઈ રહ્યું છે ! આ ત્રણેય સામયીકોમાંનું એક ફક્ત અંગ્રેજીમાં, એક સામયીક ફક્ત ગુજરાતીમાં અને ત્રીજું અંગ્રેજી, હીન્દી અને ગુજરાતી એમ ત્રણેય ભાષાઓમાં પ્રગટ થાય છે !! આનાથી ફક્ત આપણા ગુજરાતી સમાજને જ નહીં, પરંતુ વ્યક્તીગત અને સામાજીક સ્વાસ્થ્યને ઝંખતા વીશ્વના કોઈપણને એનો લાભ ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ થઈ શકશે. બહુ સહજ છે કે આપણને આ સામયીકોના સંચાલકોનો પરીચય પ્રાપ્ત કરવાનું મન થાય. તેથી અત્યાર પુરતું બહુ સંક્ષેપમાં જણાવીશું કે મુંબઈમાં “સર્વાંગી, સ્વાશ્રયી સ્વાસ્થ્ય” નામનું રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે જે વર્ષોથી આ જ નામથી વીવીધ રીતે કુદરતી ઉપચાર અને સર્વાંગી સ્વાસ્થ્ય માટેના જ્ઞાનનો પ્રચાર કરે છે. એનું સરનામું છે – ૧/૧૦૨, વીઠ્ઠલ એપાર્ટમેન્ટસ, એસ.વી.પી. રોડ, બોરીવલી, મુંબઈ – ૪૦૦ ૧૦૩ એમના આસામયીકોની કેટલીક પાયાની વાતોને પણ સ્પષ્ટ કરી લેવાનું આ તબક્કે જરુરી હોઈ સંક્ષેપમાં જોઈ લઈએ – 'PRACTICAL NATURE CURE' IS CONSIDERED AS STANDARD BOOK ON THE SUBJECT. HIS DEFINITION OF NATURE CURE IS ABSOLUTELY COMPLETE. IT IS REPRODUCED BELOW FOR YOUR APPRECIATION. “BASIC NATURE-CURE OR NATURAL HYGIENE IS THAT BRANCH OF THE SCIENCE OF LIFE WHICH DEALS WITH THE CARE OF THE ORGANISM IN A STATE OF DIS-EASE OR DISEASE. IT RECOGNISES THAT THERE IS A LAW OF HEALTH, WHICH IS ALSO THE LAW OF CURE AND THAT BY OBEDIENCE TO THIS LAW, HEALTH AND HEALING ARE BOTH OBTAINED. IT INCLUDES ALL HYGIENIC MEASURES SUCH AS PROPER DIETING, FASTING, REST AND RELAXATION, EXERCISE (ACTIVE, CORRECTIVE AND RECREATIONAL), PRANAYAMA, SUNBATHING AND HYDROTHERAPY, WHICH FORM PART OF THE FIVEFOLD FOOD MEDICINE. THERE IS NO PLACE IN THIS SCIENCE FOR DRUGS OF ANY KIND OR FORELECTRICAL, MECHANICAL OR OTHER APPLICATIONS OR SO-CALLED AIDS, WHICH ULTIMATELY IMPAIR OR ENDANGER HEALTH. NONVIOLENCETO THE HUMAN ORGANISM IS ACCEPTED AS THE BASICPRINCIPLE GOVERNING THE APPLICATION OF ALL NATURE-CURE MEASURES ADVOCATED HEREIN.” આ સામયીકોનાં તંત્રી છે શ્રી બીપીન પારેખ. (ત્રીભાષીય સામયીકમાં તો તેમનાં પત્ની શ્રીમતી પ્રજ્ઞાબહેન પણ પોતાનો બહુમુલ્ય ફાળો આપી રહ્યાં છે.) આ ત્રણેય સામયીકોનાં નામ આ પ્રમાણે છે – ‘The Holistic Healer’, ‘સંપુર્ણ સ્વાશ્રયી સ્વાસ્થ્ય’ તથા ‘Holistic Healer Helps’ કુદરતી જીવનવ્યવહાર દ્વારા જીવનસ્વાસ્થ્યને ઝંખતું આ દંપતી પોતાના લાંબા અનુભવને આધારે કહે છે – “યાદ રહે કે પરોપકારમાં આપણે કોઈના ઉપર ઉપકાર નથી કરતાં. આપણે આપણી જ મુક્તીના માર્ગ પર આગળ વધીએ છીએ. પરોપકારમાં જ આપણો પોતાનો સ્વ–ઉપકાર, સ્વઉદ્ધાર છે.”
સ્વને વીસ્તારીને સર્વ તરફ લઈ જતી આ જીવનઆરોગ્ય પદ્ધતીનું આપણા બ્લોગ “આરોગ્યમ્”ને પરદે સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આશા છે કે આ આપણા માટે એક નવપ્રસ્થાન નબી રહેશે. ******************************** acterial properties, keeps the wound sterile and promotes healing… if it is a ‘waste’ a ‘poison/ how can it heal ? All patients in my clinic apply urine for wounds and are astounded by its fast action.Q. It should like a ‘kokatath thailaye’ (Drug for anything) to put it very bluntly ! Ans. You can say it again and a million times more ! It is the wonder drug bordering on the panacea for all ailments !! Q. If this is such a miracle medicinal drink and helps people in maintaining their health in the pink why hasn’t it caught up with masses at large throughout the world ? Surely people will not want to got to doctors and undergo surgeries etc., if they can look after their health by themselves, by just drinking urine. Ans. You yourself said that people look at it with repugnance and revulsion… that people look at it as some poisonous waste matter. In that case how can it ever be appealing to people ? Nobody would want to drink it and naturally it has not ‘caught up’. It is the people who should be blamed for their ignorant attitude and not urine with its wonderful properties !! Also, uropathy since its inception has been cloaked with a holistic mantle and acquired as spiritual essence with mostly yogis and ayurvedic practitioners practicing it. Another reason for its sluggish perpetuation. Even centuries back people must have looked at urine something very obnoxious and would look at a man drinking it with revulsion. A man can get easily ostracized for drinking urine. So people who did drink urine for health benefits over the centuries did it surreptitiously. Yet another reason why it was not overtly popular but covertly practiced. In recent times however with beneficial properties of urine discovered by modern day biochemists, with graduated overt practice in the face of changing society where stigma was not that serious, with international conferences being held on uropathy the practice of uropathy became a thing to be talked about. Look at us now – we are here - you and I – talking about it – and others are reading this !! No fear of stigma, no covertness. Moreover, people must be educated. The time has dawned with this age of the Internet and mass communication where awareness can be disseminated to a greater population at a faster pace than some generations back when such awareness was possible only among a few practicing uropaths living in disparate small illiterate communities. This way uropathy can be made more popular and people will ‘catch up’. Centuries of revulsion may take a century for acceptance – let’s start now ! ======================================
Answers to frequently Asked Questions Question : 14) What do you do, if you can’t get over the taste ? Answe : When it is not possible for you to get used to the taste, there are several other ways in which you can take urine into your body. Massaging with urine allows urine to be absorbed into the body through the skin. As far as taking urine in through the mouth, on could dilute it with a lot of water, apple juice etc.; one could take just a few drops mixed in juice, tea or other fluids; one could make use of a homeopathic tincture or an injection. To help make the taste of your urine more acceptable, it is wise to experiment with your diet. It is recommended to eat lots of fruits and fresh vegetables and cut down on meat, spices, dairy products and carbohydrates. Fruits and vegetables form a healthy diet anyway, and they normally make the urine taste milder and more watery. It is then usually easier to drink your urine. For people who feel either occasionally or permanently a strong disgust blocking them from drinking their own urine. I would suggest that it may be worth first trying to discover their personal, psychological relation to urine. Clearing up some deeper issues surrounding body secretions might help to overcome the aversion. (From the book ‘The Golden Fountain’) - Coen Van Der kroon
===============000000===================
શરીર તો છે ખરું ધર્મસાધન !
જીવનમાં ‘પહેલા સુખ’નો દરજ્જો શરીર સ્વાસ્થ્યને અપાયો છે. “શરીરે સુખી, તે સુખી સર્વ વાતે.” એમ પણ કહેવાયું છે. “આરોગ્યમ્ પરમમ્ સુખમ્’ તો ખરું જ પરંતુ “શરીરમાદ્યમ્ ખલુ ધર્મસાધનમ્” કહીને તો શરીર સ્વાસ્થ્યની જરુરીયાતને બહુ જ મહત્વ અપાયું છે.
હજારો વર્ષથી, કહો કે માનવજાતને શરીરનું મહત્વ સમજાયું ત્યારથી જ એની કાળજી લેવાનું, એને માટેની તકેદારી અગાઉથી રાખવાનું, શરીર બગડે–અસ્વસ્થ થાય તો એને દુરસ્ત–સાજું કરવાનું અને એ માંદું પડે જ નહીં તે માટેની સમજપુર્વકની તૈયારી કરી રાખવાનું અને કરતાં રહેવાનું કાર્ય જીવનનાં અત્યંત મહત્વનાં કાર્યોમાંનું એક સીદ્ધ થયું છે.
શરીર સ્વાસ્થ્ય માટે કેટકેટલી ‘પથી’ જગતભરમાં સ્થપાઈ છે !! કેટકેટલી પદ્ધતીઓ અમલમાં મુકાઈ રહી છે !! who જેવી વીશ્વ આરોગ્ય સંસ્થા પણ અસ્તીત્વમાં આવી જેણે જગત સમસ્તના આરોગ્યની ચીંતા હૈયે ધરી રાખી છે !
માંદગી આવે જ નહીં અને આવે તો એની ચીકીત્સા કરવાનું કાર્ય દરેક ‘પથ’માં પાયાનું કાર્ય મનાયું–મનાવાયું છે.
આમાંનો જ એક પથ મુત્રચીકીત્સાનો છે. ભારતીય ચીકીત્સાશાસ્ત્ર ‘આયુર્વેદ’માં માનવમુત્ર ઉપરાંત બીજાં અનેક પ્રાણીઓના મુત્ર દ્વારા માનવચીકીત્સા કરવાનો એક અલગ વીભાગ છે, જેમાં અનેક રોગો પર જે તે પ્રાણીઓના મુત્ર દ્વારા સફળ ઉપચારો થતા આવ્યા છે.
વીદેશોમાં તો શ્રી આર્મસ્ટ્રોંગ દવારા ‘વૉટર ઓફ લાઈફ’ (‘જીવનજલ’ શબ્દમાંના જીવન શબ્દમાં જ જલ શબ્દનો સમાવેશ થઈ જ જાય છે !) તરીકે માનવમુત્રને જે મહત્વ મળ્યું તેણે સમગ્ર માનવજાતીનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ તો સ્વમુત્ર ચીકીત્સા વીશ્વભરમાં ફેલાઈ એટલું જ નહીં પણ કેન્સર જેવા જીવલેણ રોગને પણ દસ ગજ દુર રાખવામાં સફળ રહી !!
ભારતીય આરોગ્ય વીજ્ઞાન જેમ શરીરને ‘ધર્મસાધન’ તરીકે ઓળખાવે છે તો તે જ રીતે માનવમુત્રની મહત્તા, એ ધર્મસાધનને જાળવવા માટેની જ હોઈ, એને ઓછી કઈ રીતે આંકે ?!
તેથી તેણે તો માનવમુત્રને ‘વૉટર ઓફ લાઈફ’ કરતાંય ઉંચે સ્થાને બેસાડી ને નામ આપ્યું કલ્યાણકારી જલ – ‘શીવામ્બુ’ !!
વડોદરાની સંસ્થા શીવામ્બુ ચીકીત્સા સંશોધન મંડળ દ્વારા વર્ષોથી શીવામ્બુ સામયીક દર માસે પ્રસીદ્ધ થઈ રહ્યું છે. તેની હજારો નકલો લોકોમાં વંચાય છે, એટલું જ નહીં, એના પ્રચારને આધારે/કારણે સ્વતંત્ર ચીકીત્સા વ્યક્તીગત કે સામુહીક ધોરણે મોટા પ્રમાણમાં અમલમાં મુકાઈ રહી છે.
આ સામયીક ‘શીવામ્બુ’ ને નેટજગત પર મુકવાનું મન ઘણા સમયથી હતું પરંતુ એ માટે સમયનો અભાવ મુખ્ય અડચણ હતી. હવે કેટલાક બ્લોગને સંકેલી લઈને પણ આવાં સેવા કાર્યોને હાથ પર લેવાનું નક્કી કરાતાં જ ‘આરોગ્યમ્’ નામક સાઈટ શરુ કરવામાં આવી છે.
‘આરોગ્યમ્’ સાઈટ પર અત્યારે તો ફક્ત શીવામ્બુ સામયીકની જ પીડીએફ સંગ્રહીત થઈ રહી છે. પરંતુ બીજાં બેએક સામયીકો (શીવામ્બુ સીવાયની અન્ય ચીકીત્સાનાં) પણ વહેલી તકે સાઈટ ઉપર સમાવીષ્ટ થઈ રહેવા તત્પર છે.
આશા રાખીએ કે વધુમાં વધુ આરોગ્યજ્ઞાન આ ‘આરોગ્યમ્’ મારફતે વહેંચી શકાશે –
|
|





